Wednesday, October 31, 2018


માનસ ત્રિભુવન કથા-દિવસ ચોથો .તારીખ ૩૦-૧૦-૧૮
--મૌન અને મુસ્કુરાહટ આભૂષિત બુદ્ધપુરુષ ઉપયોગી છે: પૂજ્ય મોરારીબાપુ
--ચતુર્થ દિવસે માનસ સંપુટનું લોકાર્પણ....
વિશાળ સભામંડપમાં પુનઃ એકવાર ચોથા દિવસની કથામાં રામચરિતમાનસ ની ચોપાઈઓ ગુંજિત કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે મારા માટે રામકથા સર્વસ્વ છે. મને મારા દાદાએ નવ વર્ષની ઉંમરે ગુરૂવંદનાનું પ્રકરણ એક વર્ષ સુધી શીખવ્યું. દાદાને મેં કદી કંઈ પૂછ્યું નથી પણ તેઓશ્રીએ એકવાર મને કહ્યું કે તને થતું હશે કે તમારા ગુરુ કોણ? દાદા આગળ કહે છે ,મારા ગુરુ એ મારા દાદા પ્રેમદાસજી. અને પ્રેમદાસ બાપુ ના ગુરુ જીવણદાસજી. જે મૂળ નાગર હતા .જીવણ દાસ બાપુ ધ્યાન સ્વામી બાપુના શિષ્ય એટલે ત્યાં કોઇ વ્યસન ન હતા.નાગર જ્ઞાતિ નથી પણ તે સમાજની નાગરવેલ છે. અનુયાયીઓ અને શિષ્ય માં ભેદ છે .શિષ્ય શરણાગત થાય પણ અનુયાયી ન પણ થાય . અનુયાયી ઘણા હોય અને તે થોડા રીજી જાય પછી નીકળી પણ જાય. જ્યારે શિષ્ય થોડા થી સંતોષી નથી હોતો અને તેની સંખ્યા પણ થોડી જ હોય.
હું કોઈનો ગુરુ નથી .મારા કોઈ ફોલોવર્સ નથી. હા, આ વર્ષ છે પણ હું તેનો માલિક નથી પરંતુ માત્ર માળી છું.
બુદ્ધ પુરુષોને સામાજિક કાર્યો કરવાની પણ મનાઈ છે. ધર્મગુરુને છૂટ છે .રમણ મહર્ષિ જેવા પુરુષો માટે તો એક ખૂણામાં બેસી રહેવાનું અને ત્યાં રહી જગત કલ્યાણ માટે બધું કાયૅ કરવાનું .ગુરુ શિષ્ય પરંપરા ઉજળી છે. ધ્યાન સ્વામી બાપા જીવણદાસ બાપુ ના ગુરુ હતા. તેથી તે મૂળ સ્ત્રોત છે ધ્યાન મહિમાવંત છે અને તે યોગી પરંપરા છે.
સમાધિ ચેતન જ હોય. દાદાએ બીજું સૂત્ર આપ્યુ નારાયણ.નારાયણ  આપણો ગુરુ.ત્રીજી વાત પ્રેમ આપણો ગુરુ અને છેલ્લે રઘુકુળમાંથી આવેલા રામ એટલે રઘુરામદાસ .રામ પંરપરાના છેલ્લા  ગુરુત્રિભુવનગુરુ. ત્રિભુવન પદ મળી જાય તો પણ અમે પ્રભુના દાસ (પૂજ્ય બાપુ ના પિતાશ્રી)
      મારા માટે તલગાજરડા ની કુળદેવી અહિંસા છે. વેદ, મહાભારત અહિંસાને પરમ ધર્મ માને છે .હરિ ભજન હોય ત્યાં હરી ભોજન હોય જ, હોવું જોઈએ .હરિ ભોજન વિનાની કથા ચાંદલા વગરની સુહાગણ છે. પૂજ્ય દાદા ને બોલતા આવડતું પણ બોલતા નહીં ,ગાતા પણ આવડતુ ગાતા નહિ .કથા કરી નથી છતાં જ્યારે રામ વનવાસ નો પ્રસંગ આવે ત્યારે એવું લાગે કે રામ આપણા જ ઘરેથી વનવાસ કરી રહ્યા છે.
            યાજ્ઞવલ્ક્યના મુખેથી  શિવનું સુંદર અને રસપ્રદ વર્ણન છે .કુભજ ઋષિના આશ્રમમાં કથા શ્રવણ થાય છે. સતીનો ત્યાગ,દક્ષ યજ્ઞમા સતિનુ અગ્નિ સ્નાન ,યજ્ઞભંગ ,હિમાલયને ત્યાં શૈલજા-પાવૅતીનો જન્મ .પાર્વતીનું કઠોર તપ,કામદહન નો પ્રસંગ નો આજની કથા વિરામ પામી.
  ------આજનું કથા વિશેષ-------
-આજે નીતિન વડગામા સંપાદિત કથા ના પુસ્તકો માનસ સહજ( જાપાન) માનસ કિષ્કિંધાકાંડ (અબુધાબી) માનસ માતૃદેવો ભવ(વૈષ્ણો દેવી)  નું લોકાર્પણ કથા પ્રારંભ કરવામાં આવ્યું.
--ભાગવતાચાર્ય ભુપેન્દ્રભાઈ પંડ્યા, સાગર રાયકા, અર્જૂન મોઢવાડિયા ,મથુરભાઇ સવાણી ,જીવન દાસ બાપુ વગેરે આજની કથામાં ઉપસ્થિત હતા.
-પૂજ્ય બાપુએ પોતાની કોઈ પણ વસ્તુ વેચાય નહીં પણ વહેચાય .એટલે કે સૌને તે વિનામૂલ્યે મળે .આ પ્રસાદી ફોટો ના રૂપમાં, સીડી કે પુસ્તકના રૂપમાં પ્રસાદીના સ્વરૂપે વિનામૂલ્યે તલગાજરડા પ્રાપ્ત કરાવે. તેઓ એક વિચાર પૂજ્યશ્રીએ પ્રગટ કર્યો ઈશ્વર તેને સાકારિત કરવા કંઈક કરશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી.
---તખુભાઈ સાંડસુર વેળાવદર

1 comment: