Sunday, February 14, 2021

છેતરપિંડીનો છેડો છેતરામણો..!! તખુભાઈ સાંડસુર 'સફળતા તેને મળે જે પરસેવે ઝબોળાય' આ સૂત્રને આજની યુવાપેઢી લગભગ ભૂલી ગઈ છે. જો કે એમ કહેવાય કે યાદ અપાવનાર પણ કોઈ નથી. દરેકને સફળતાની સીડીઓ ચડવી નથી, પરંતુ એસ્કેલેટર પકડવું છે. ચાલો, એ પણ સ્વીકારી લઈએ પરંતુ તે એસ્કેલેટર પર ઊભાં રહેવાની રાહે' ય જોવી નથી. ત્યાં પણ તેમણે દોડવું છે.એટલે કે સફળતાનો શોર્ટ રૂટ લેવો છે.'કોઈપણ શોર્ટ રૂટ જેટલો જલ્દી પહોંચાડે છે એટલો જલદી પછાડે છે' આ વાત આજે સમજનારાંઓની સંખ્યા પ્રતિદિન માઇનસ થઈ રહી છે .એટલે જ છેતરપિંડીના કિસ્સાઓ સતત સરવાળાં થઈ રહ્યાં છે. પછી તે ધટનાઓ સંબંધોની હોય,લેતી-દેતી હોય કે પછી જીવનવ્યવહારની હોય. બધી જગ્યાએ સતત અવિશ્વાસ અને જોખમની તલવાર લટક્યાં કરે છે. તેથી આજે આપણાં મોટાભાગનાં વ્યવહારો પણ વ્યવહારું રહ્યાં નથી.બસ સૌ કોઈની આંખમાં અવિશ્વાસનો કકળાટ. શાળાઓની પ્રાર્થના અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાં માટે રોજ દિવસો સુધી વિનંતી કરતી રહી હોય ગવાતી રહેતી હોય.પરંતુ તેમ છતાં તે બધાં સમાજ-જીવનમાં ભફાકો મારે છે. ત્યારે વર્ષોથી થતી રહેતી એ પ્રાર્થનાની શબ્દસરિતા ક્યાં દબાઈ જાય છે તે કેમેસ્ટ્રી સમજાતી નથી..!?? લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર,દુરાચાર વગેરેનું સતત ઉમેરણ બસ આજ માન્યતાઓને રૂઢ કરનારો ઘટનાક્રમ છે. સત્ય મોડું જરૂર પડે પરંતુ તે શાશ્ર્વત હોય છે. અસત્ય ઉતાવળે પ્રાપ્ત થયેલું અધુરું સ્વપ્ન છે. જે પ્રકાશની હાજરીથી સાથે ઓલવાઈ જાય છે.વિલાઈ જાય છે.'ચીટ'સુગર કોટેડ હોય છે તેનો પ્રારંભનો ધમાકેદાર પરંતુ અંત માટે આંસુ ને ખાળવા પાવડાઓ ટૂંકા પડે..! કોઈપણ છેતરપિંડી 'ધોળું એટલું દૂધ નથી હોતું 'આવે ત્યારે તેનો રણકાર કર્ણપ્રિય હોય પરંતુ સમગ્ર જીવનને અસ્તવ્યસ્ત કરવામાં પ્રમુખ ભૂમિકા પણ તે જ ભજવે છે. જ્યારે તમે કોઈ સાથે ખોટું બોલો છો તોપણ અંદરથી એક અવાજ આવે છે."શું આ કરેલું કાર્ય ઉચિત હતું.?" થોડી ક્ષણો પછી જ્યારે તમે પર્વતની ટોચ ઉપર ચડી જાવ છો ત્યારે નીચેથી આવતો જ્વાળામુખી જેવો અગ્નિ તમારાં હોસ- હવાસને સતત દઝાડતો રહે છે. ઊંઘને ગાયબ કરે છે, ચિત્તભ્રંમ પાસે આવીને ઊભું રહી જાય છે. શરીરના અનેક વિકારો સમય જતાં વિસ્તરતાં વાર લાગતી નથી. ક્યારેક તમને એવાં ઉદાહરણ પણ નજર સમક્ષ પ્રસરતાં દેખાય છે કે તેની ચેતનાઓ વૃશ્ચિકના ડંખથી હારાકીરી કરી રહી હોય તેના બચાવ માટેની બૂમો સૌ નજીક હોવા છતાં કોઈ સાંભળતું ન હોય ! ભીષ્મપિતામહ અસત્યના આચરણકર્તા નહોતા પરંતુ ખોટું થતાં જોવાના સાક્ષી માત્ર હતાં તોપણ તેઓએ બાણના શૂળ પર દિવસો વિતાવવાં પડ્યાં. અર્જુન સવ્યસાચી જરૂર હતો પરંતુ તેના કરતુતો એ આખરે તેમને નરકનો દરવાજો જ દેખાડ્યો. સત્યની ચાદર ચિરનીદ્રા આપી શકે.તે તમને ડગલેને પગલે ચુટકી ન ખણે પણ સુવાસ પ્રસરાવશે.મનોજગતમા મલિનતા પ્રવેશી નહીં શકે અને વળી મારગ સંગાથીનું ગૌરવ સૌ કોઈ લઈ શકશે.ક્ષણિક સફળતાં આવેગાત્મક હોય છે પછી તે ક્ષણની સમયાવધિ 10-20 વરસની ય કેમ ન હોય ? છતાં પણ સમય તેને જીવનપયૅત નહીં નીભાવી શકે તે વાક્ય સોના જેવું સો ટચ છે.તવારિખી આલેખોમાં સફેદ ટપકાં ઓછાં નથી હોતાં.રામચરિત માનસ પણ પ્રમાણિત કરે છે. "નિર્મલ મન જન સો મોહી પાવા। મોહી કપટ છલ છીદ્ર ન ભાવા ।" અર્થાત નિર્મળ મનધારી માણસ જ મને પામી શકે. કપટી,છળ છિદ્ મને પ્રિય નથી.એજ સંદેશ તરી આવે છે કે જીવવું સાથૅક કરવું હોય તો નિર્મળ બનો અને વેડફાવું હોય તો છળ સાથે રહો.

 છેતરપિંડીનો છેડો છેતરામણો..!!

તખુભાઈ સાંડસુર

'સફળતા તેને મળે જે પરસેવે ઝબોળાય' આ સૂત્રને આજની યુવાપેઢી લગભગ ભૂલી ગઈ છે. જો કે એમ કહેવાય કે યાદ અપાવનાર પણ કોઈ નથી. દરેકને સફળતાની સીડીઓ ચડવી નથી, પરંતુ એસ્કેલેટર પકડવું છે. ચાલો, એ પણ સ્વીકારી લઈએ પરંતુ તે એસ્કેલેટર પર ઊભાં રહેવાની રાહે' ય જોવી નથી. ત્યાં પણ તેમણે દોડવું છે.એટલે કે સફળતાનો શોર્ટ રૂટ લેવો છે.'કોઈપણ શોર્ટ રૂટ જેટલો જલ્દી પહોંચાડે છે એટલો જલદી પછાડે છે' આ વાત આજે સમજનારાંઓની સંખ્યા પ્રતિદિન માઇનસ થઈ રહી છે .એટલે જ છેતરપિંડીના કિસ્સાઓ સતત સરવાળાં થઈ રહ્યાં છે. પછી તે ધટનાઓ સંબંધોની હોય,લેતી-દેતી હોય કે પછી જીવનવ્યવહારની હોય. બધી જગ્યાએ સતત અવિશ્વાસ અને જોખમની તલવાર લટક્યાં કરે છે. તેથી આજે આપણાં મોટાભાગનાં વ્યવહારો પણ વ્યવહારું રહ્યાં નથી.બસ સૌ કોઈની આંખમાં અવિશ્વાસનો કકળાટ.

          શાળાઓની પ્રાર્થના અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાં માટે રોજ દિવસો સુધી વિનંતી કરતી રહી હોય ગવાતી રહેતી હોય.પરંતુ તેમ છતાં તે બધાં  સમાજ-જીવનમાં ભફાકો મારે છે. ત્યારે વર્ષોથી થતી રહેતી એ પ્રાર્થનાની શબ્દસરિતા ક્યાં દબાઈ જાય છે તે કેમેસ્ટ્રી સમજાતી નથી..!?? લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર,દુરાચાર વગેરેનું સતત ઉમેરણ બસ આજ માન્યતાઓને રૂઢ કરનારો ઘટનાક્રમ છે.

સત્ય મોડું જરૂર પડે પરંતુ તે શાશ્ર્વત હોય છે. અસત્ય ઉતાવળે પ્રાપ્ત થયેલું અધુરું સ્વપ્ન છે. જે પ્રકાશની હાજરીથી સાથે ઓલવાઈ જાય છે.વિલાઈ જાય છે.'ચીટ'સુગર કોટેડ હોય છે તેનો પ્રારંભનો ધમાકેદાર પરંતુ અંત માટે આંસુ ને ખાળવા પાવડાઓ ટૂંકા પડે..!

    કોઈપણ છેતરપિંડી 'ધોળું એટલું દૂધ નથી હોતું 'આવે ત્યારે તેનો રણકાર કર્ણપ્રિય હોય પરંતુ સમગ્ર જીવનને અસ્તવ્યસ્ત કરવામાં પ્રમુખ ભૂમિકા પણ તે જ ભજવે છે. જ્યારે તમે કોઈ સાથે ખોટું બોલો છો તોપણ અંદરથી એક અવાજ આવે છે."શું આ કરેલું કાર્ય ઉચિત હતું.?" થોડી ક્ષણો પછી  જ્યારે તમે પર્વતની ટોચ ઉપર ચડી જાવ છો ત્યારે નીચેથી આવતો જ્વાળામુખી જેવો અગ્નિ તમારાં હોસ- હવાસને સતત દઝાડતો રહે છે.  ઊંઘને ગાયબ કરે છે, ચિત્તભ્રંમ પાસે આવીને ઊભું રહી જાય છે. શરીરના અનેક વિકારો સમય જતાં વિસ્તરતાં વાર લાગતી નથી. ક્યારેક તમને એવાં ઉદાહરણ પણ નજર સમક્ષ પ્રસરતાં દેખાય છે કે તેની ચેતનાઓ વૃશ્ચિકના ડંખથી હારાકીરી કરી રહી હોય તેના બચાવ માટેની બૂમો સૌ નજીક હોવા છતાં કોઈ સાંભળતું ન હોય ! ભીષ્મપિતામહ અસત્યના આચરણકર્તા નહોતા પરંતુ ખોટું થતાં જોવાના સાક્ષી માત્ર હતાં તોપણ તેઓએ બાણના શૂળ પર દિવસો વિતાવવાં પડ્યાં. અર્જુન સવ્યસાચી જરૂર હતો પરંતુ તેના કરતુતો એ આખરે તેમને નરકનો દરવાજો જ દેખાડ્યો. 

 સત્યની ચાદર ચિરનીદ્રા આપી શકે.તે તમને ડગલેને પગલે ચુટકી ન ખણે પણ સુવાસ પ્રસરાવશે.મનોજગતમા મલિનતા પ્રવેશી નહીં શકે અને વળી મારગ સંગાથીનું ગૌરવ સૌ કોઈ લઈ શકશે.ક્ષણિક સફળતાં આવેગાત્મક હોય છે પછી તે ક્ષણની સમયાવધિ 10-20 વરસની ય કેમ ન હોય ? છતાં પણ સમય તેને જીવનપયૅત નહીં નીભાવી શકે તે વાક્ય સોના જેવું સો ટચ છે.તવારિખી આલેખોમાં સફેદ ટપકાં ઓછાં નથી હોતાં.રામચરિત માનસ પણ પ્રમાણિત કરે છે.

"નિર્મલ મન જન સો મોહી પાવા।

મોહી કપટ છલ છીદ્ર ન ભાવા ।"

અર્થાત નિર્મળ મનધારી માણસ જ મને પામી શકે. કપટી,છળ છિદ્ મને પ્રિય નથી.એજ સંદેશ તરી આવે છે કે જીવવું સાથૅક કરવું હોય તો નિર્મળ બનો અને વેડફાવું હોય તો છળ સાથે રહો.