Sunday, October 28, 2018

માનસ ત્રિભુવન દિવસ બીજો ..આજની કથાનો આરંભ કરતા પૂજ્ય મોરારીબાપુ કહ્યું, "બહેનો પણ હનુમાનજીનું હાથ જોડીને દર્શન કરી શકે. "બીજા દિવસની કથામાં સત્રારંભે પૂજ્ય રામદેવ બાબાના યોગાસનો


 માનસ ત્રિભૂવન દ્વિતીય દિવસનો આરંભ કરતા પૂજ્ય મોરારીબાપુ પોતાની શબ્દ સુગંધ પ્રસરાવતા કહ્યું," યોગના ત્રણ પ્રકાર છે પતંજલિ યોગ ,રુદ્રાષ્ટિક યોગ અને હનુમંત યોગ .યોગીઓ આ દેશ નો પ્રાણ છે . ઓમકાર નો રણુકાર યોગીઓ પાસેથી પ્રાપ્ત થાય .જે ભજનાનંદી હોય તે ભીતર ઉતરે.મારા દાદાએ મને જે માનસ ચોપાઈ આપી અને આજ્ઞા કરી કે તુ આને ગાજે તેમાં મારો યોગ થઈ જાય છે. સલાહ આપવી સહેલી હોય છે ,પણ આચાર અઘરો છે. વ્યાસપીઠ યોગપીઠ સાથે જોડાયેલી રહેશે. પ્રેમ વગરનો યોગી કોઈ કામનો નથી.
                  સમાજમાં વિશેષ કરી બહેનો માંટે પ્રવર્તતી એક માન્યતા નું ખંડન કરતા પૂજ્ય બાપુએ નિવેદન કર્યું કે સૌ કોઈ બહેનોને પણ હનુમાનજીની સર્વ રીતે પૂજન ,અર્ચન કરવાની છૂટ છે. માતાઓ બે હાથ જોડીને પણ તેના દર્શન કરી શકે.હા ,તેમાં આપણી શાસ્ત્રીય મર્યાદા અપવાદ તરીકે ગણવી જોઈએ. તે નિભાવવાની પણ ફરજ છે.રાક્ષસીઓએ પણ હનુમાનજીની પૂજા કરી હતી.હનુમાનજી બ્રહ્મચારી છે. બ્રહ્મચારી અને કુંવારા વચ્ચે ભેદ છે. એક ઉદાહરણથી તેને સ્પષ્ટ કરવામાં આવ્યું.દ્વાપરયુગમા ભીષ્મપિતામહ ,સતયુગમાં નારદજી અને ત્રેતાયુગમાં મહારાજ પરશુરામજી બ્રહ્મચારી હતા.કલિયુગ આ વિભૂતિ કોણ છે તે જાણમાં નથી .રામાયણમાં પાંચ પ્રાણનો ઉલ્લેખ છે .૧, સીતાજી ૨, ભરતજી૩,લક્ષ્મણજી ૪, ચાર સુગ્રીવ ૫, બંદર  ભાલુ વિભિષણ.આ પાચેયની રક્ષા મહનુમાનજીએ કરી છે. શાસ્ત્ર ગુરુમુખ વગર પચે નહીં .બુદ્ધિ બધામાં છે પરંતુ તે વિશુદ્ધ હોય તે જરૂરી છે .યજ્ઞ ,તપ,દાનથી તેવી શુદ્ધ થાય છે .72 પંક્તિ અને 9 દૂહામાં રામનામની વંદના કરવામાં આવી છે. તુલસીદાસ કહેછે કે કળયુગમાં પરમ તત્વ પામવાનું કોઈ સાધન હોય તો તે છે " હરિ નામ" પરમાત્માની પ્રાર્થના આવડી જાય તો તેને કંઈ કરવાનું રહેતું નથી .સમગ્ર બુધ તત્વ રામ નામ છે સૂર્ય ,ચંદ્ર અને અગ્નિનું કેન્દ્ર બિંદુ રામ છે. રામ અને વિષના સંયોગથી વિશ્રામ સુધી જઈ શકાય.  જે શિવને પ્રાપ્ત થયું છે. રામનામ મહામંત્ર છે .વિનય પત્રિકા નામ વિશ્વાસ પર ભાર મૂકે છે .હમણાં જ્વાલામુખી કથામાં એક મુસ્લિમ યુવાન નો પત્ર પ્રાપ્ત થયો તે હંમેશા રામકથાનું શ્રવણ કરે છે .તેની સાથે તેની માતાજી પણ જોડાઈ છે .એકવાર તેના માતાજી બીમાર પડે છે. તે તેને દવાખાને લઈ જાય છે તો તેને ડોકટર આમ કરવાની મનાઈ કરે છે .અરે ..સમ્ ગચ્છ ધ્વમ્, સમ્ વંદ્ ધ્વમ્  સાથે ચાલીએ, સૌને વંદન કરીએ, સ્વીકારીએ .પોતે ક્યારેય સંકીર્ણ નથી તે વાત પર પૂજ્યશ્રી એ વિશેષ ભાર મુકતા સૌને પોતાના ઇષ્ટ ને ભજવાની સ્વતંત્રતા હોય જ એમ જણાવ્યું.



તારીખ 28 10 18 નુ કથા વિશેષ
-સવારે 9 કલાકથી  10 30   કલાક સુધી સુધી રામદેવજી મહારાજ ના યોગાસનો યોજાયા.
-સને 2020માં પૂજ્ય મોરારીબાપુએ બાબા રામદેવજી ના પતંજલિ આશ્રમ માં હરિદ્વાર ખાતે બાબાજીની અનુકુળતાએ કથા કરવાની જાહેરાત કરી.
-માનસ ત્રિભુવનમા બાલકાંડ ની ચોપાઈને કેન્દ્રસ્થ કરવામાં આવી છે
"વિશ્વનાથ મમ્  નાથ પુરારી, ત્રિભુવન મહીમા બિદિત તુમ્હારી  । તુમ ત્રિભુવન ગુરુ ભેદ બખાના ,,આન જીવ પાવર કા જાના     ।"                                -આજની કથામાં બાબા રામદેવજી ,ભાગવતઋષિજી, યોગેશભાઈ શાસ્ત્રી,મેહુરભાઈ લવતુકા વગેરેની વિશેષ ઉપસ્થિતિ હતી
-તખુભાઈ સાંડસુર.    વેળાવદર

No comments:

Post a Comment