Tuesday, October 30, 2018

રામ કથા માનસ ત્રિભૂવન -દિવસ ત્રીજો
દેહ નાશવંત છે તે સભાનતા રહેવી જરૃરી :પૂજ્ય બાપુ
તૃતીય દિવસની કથામાં ડૉક્ટર સ્વામી અને શક્તિસિંહ ગોહિલ શ્રાવકો
તૃતીય દિવસની માનસ ત્રિભૂવનકથા નુ રામાયણજીની આરતી થી મંગલાચરણ થયું. BAPS સંસ્થાના વરિષ્ઠ સંત શ્રી  ડોક્ટર સ્વામી ની આજની કથામા ઉપસ્થિતિ હતી .તેઓએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું, કે સૌના જીવનમાં ધર્મ ,ભક્તિ, સેવા અને સત્સંગ જાગે તે રાષ્ટ્ર માટે ખૂબ જરૂરી છે. પૂજ્ય બાપુ માનસયજ્ઞથી હજારો લોકોમાં હકારાત્મક વિચારો પેદા કરવાનું વંદનીય કાર્ય કરી રહ્યા છે. અને તે પણ નિરમાની,  અને  નિરંહકારી પણે. સાથે આવેલા પુ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ ની અંતિમ આરતી પૂજ્ય બાપુએ ઉતારી છે તે અમોને સદા સર્વદા યાદ રહેશે.
        પૂજ્ય બાપુએ પાવક શબ્દ પુષ્પોને કથા મંડપ ના પ્રાંગણ માં રેલાવતા જણાવ્યું કે મહાદેવજી પાર્વતીજીને કહે છે.
"પૂછે હું રઘુ પતિ કથા પ્રસંગા ! સકલ લોક ભાવની ગંગા!"
ત્રણે લોક સ્વર્ગ ,મૃત્યુ અને પાતાળ આ કથા સાંપ્રત છે .મહાદેવ કહે છે કે સ્વર્ગમાં પણ આ ચોપાઈઓ ગવાય છે. હનુમાનજી પાતાળમાં ગયા હતા લક્ષ્મણજીને છોડાવવા તેથી ત્યાં પણ કથા હોય જ અને મૃત્યુલોકમાં તો છે જ તેથી આ ત્રિભુવન કથા છે.
સંસારી ને એષણાઓ હોય પુત્રેષણા , વિતેષણા, અને ત્રીજી લોકેષણા. એ છે બધાની સામે સારા થવાની વૃત્તિ .જે સાધુ ને છેતરે છે. તૃષ્ણા બાંધે છે. તેનાથી તેનું પતન થાય છે. બ્રાહ્મણો ઓદાયૅપૂર્ણ હોય છે .બ્રાહ્મણોનું આંખનું તેજ અને સાધુની આંખ નો ભેદ આ જગતના બે નેત્રો છે. જીવનના ત્રણ આધાર છે. તે દેહ,પ્રારબ્ધ અને દેવ .દેવ એટલે શુદ્ધ. જ્યાં સુધી શુદ્ધ હોય ત્યાં દેવ છે. જે બુદ્ધ પુરુષનો આશરો કરશે તેને પ્રારબ્ધ પીડા નહીં આપે. માટે એવા ગુરુ નો આશ્રય જરૂરી. જેની પાસે ગુરૂનિષ્ઠા ન હોય તેનું સામર્થ્ય ગુરુપરંપરા કરતી નથી .પરંતુ મુક્ત કરે છે ,જીવનના આનંદ માટે આંતરબાહ્ય શુદ્ધ મહાપુરુષનો આશ્રય જરૂરી છે, બ્રમપદથી સદગુરુ શરણ ચડિયાતું છે. ગુરુ નિષ્ઠાથી સાધકને સરસ્વતી જાનકી ભલે ન મળે પરંતુ તેની પાસે ભક્તિરૂપ મર્યાદા હોય જ. સાધુની જેમ પવિત્ર અને નિર્મળ છે રામનું જીવન મંગલમય છે .ત્યારે કૃષ્ણનું સઘષૅમય છે .કૃષ્ણે તારા મારા નું ધ્યાન પણ રાખ્યું છે. જગતમાં ચાર વસ્તુ નિર્દોષ છે વિષ્ણુ ભગવાન ,સૂર્ય અગ્નિ અને ચોથી ગંગા. જાનકીજી નિર્દોષ છે માટે તેની તેને અગ્નિ પાસે મૂકી શકાય. રામે અગ્નિ રૂપ ભગવાન નો કેટલો ભરોસો છે? કળિયુગમાં રામનામ ચાર ઘાટ ઉપાસના અને શરણાગતિ અને એક મારો પાંચમો તલગાજરડીઘાટ. આ કથા તેના પરથી ગવાય છે. પંચ મુખવાળા શિવજી એટલે તે કૈલાસ ઘાટ પણ છે. શરણાગતિ  એ પરીપૂર્ણ હોતી નથી. તેથી તેમાં કર્મ જરૂરી છે પ્રમાદ મૃત્યુ છે, તેથી કર્મ જરૂરી છે. શરણાગતિ પછી પણ આવશ્યક છે સારા અને સર્વ જનહિત માટે કાર્ય કરતા રહેવું જોઈએ.
અતી દેહદમન એ ક્રૂરતા છે .તપસ્વી શાંત હોવો જોઈએ, રામ પ્રેમી તપસ્વી હોય ,સ્વાર્થી ન હોય પરમાર્થી હોય .કુંભ પૂર્ણ થયા પછી ભારદ્વાજજીના સંશયને દુર કરવા યાજ્ઞવલ્ક્યે રામ કથા સંભળાવી હતી. કથાનું સમાપન થયું.
આજનું કથા  વિશેષ-----------------
--- પૂ બાપુએ બાળપણની કરેલી. ટીખળો નો ઉલ્લેખ કરી સૌને ભાવુક બનાવી દીધા.
--આજ થી રક્તદાન કેમ્પ ની શરૂઆત થઈ. કથાના ક્રમ સુધી પહોંચવાનો તેમાં લક્ષ્યાંક સેવવામાં આવ્યો.
--આજની કથામાં કોંગ્રેસી અગ્રણી શક્તિસિંહ ગોહિલ ,ઉદ્યોગપતિઓ નટુભાઈ ભાદુ, ભીમભાઇ ખોડવાયા હાજર રહ્યા હતા.
--તલગાજરડા ને યાદ કરતા કરતા અહીં જ્યાં જાવ ત્યાં ચોપાઈઓ મળવાની એમ જણાવી પૂજ્ય બાપુએ બધું રામ રામમય હોવાનું જણાવ્યું.
--ભાવનગર રાજકોટ વગેરેના ઘણા દૈનિકો કથાનું મહત્તમ કવરેજ કરે છે. મહૂવામાથી એક વિશેષાંક પણ દરરોજ પ્રકાશિત થઈ રહ્યો છે, તે ખૂબ સારું ગણાય.
--આસ્થા ચેનલ તારીખ 30 10 18 ના રોજ સવારના વિશેષ પ્રસારણમાં તલગાજરડા કથામાં રામદેવબાબાના  યોગસેશન પુનઃપ્રસારિત કર્યું હતું.




No comments:

Post a Comment