Friday, January 8, 2021

કાયદાનો દુરુપયોગ માટે કાયદો

 કાયદાના દુરોપયોગ માટે કાયદાની આવશ્યકતા

-તખુભાઈ સાંડસુર

સામાન્ય રીતે કોઈ પણ કાયદો એ જનસુખાકારી માટે હોય છે .સાર્વત્રિક રીતે જન સમુદાયને પડતી મુશ્કેલીઓ સમસ્યાઓ માટે ભારતીય ફોજદારી ધારો અને ફોજદારી કાર્યરીતિ ધારો અમલમાં છે. બદલાતાં સમય અને સંજોગોના કારણે વિવિધ કાયદાઓનું દબાણ લાવીને અથવા તે કાયદાની બીક બતાવીને નાણાં પડાવવાનું અને ધાર્યું કામ કઢાવવા માટેની ફરજ પાડવાનું ગુનાહિત કૃત્ય વધુ ને વધુ માત્રામાં સામાજિક રીતે ફેલાઈ રહ્યું છે. જેથી સમાજમાં ભય અને અસમતુલા નો માહોલ પેદા થયો છે. તેને સંતુલિત કરવા આવાં કાયદાઓનો ઉપયોગ અટકાવવા માટે એક જડબેસલાક કાયદો લાવવો જોઈએ. તેવી સાર્વત્રિક રીતે લાગણી પ્રવર્તી રહી છે.

                 વાત કરીએ સ્ત્રી અપરાધો ઉપર સામાન્ય રીતે સ્ત્રી અપરાધોમાં બળજબરીપૂર્વક કરવામાં આવતો શારીરિક, આંત્યતિક અત્યાચાર જ આપણે બળાત્કારની વ્યાખ્યામાં મૂકીએ છીએ. પરંતુ મહત્તમ કિસ્સાઓમાં સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધોને આ વ્યાખ્યામાં મુકવામાં આવતાં નથી. તો પણ તેને રેપ ગણીને આઇ્પી.સી 375,376નીફરિયાદો નોંધવામાં આવી રહી છે. લગ્નની લાલચ આપી વચનભંગથી થતાં  રેપના આંકડા મુજબ યુ્.પી. ની અંદર ગત વર્ષ કરતા 57% આ પ્રકારના ગુનાઓ વધ્યાં છે. ઉત્તરાખંડમાં 50% અને રાજસ્થાનમાં આ આંકડો 45 %નો છે. એટલે કે રેપના ગુનાઓમા સતત વધારો થયો છે તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે નોંધ્યું કે લગ્નનું વચન આપીને ફરી જનાર વ્યક્તિ સામે આ પ્રકારનો ગુનો નોંધી શકાય નહીં કારણકે બંને વ્યક્તિઓએ એકબીજાની સંમતિથી આ કૃત્ય કરેલું છે. તેથી તેને બળજબરીથીની વ્યાખ્યામાં મૂકી શકાય નહીં. બીજુ એ જ રીતે એકબીજાના પરિચયથી થતું આવું ગુનાહિત કૃત્ય પણ આવી વ્યાખ્યામાં મૂકી શકાય નહીં, તેવો પણ એક મત છે. 2019માં નોંધવામાં આવેલા નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડાઓ મુજબ માત્ર 6%  ગુનાઓ એવાં હતાં. જેમાં મહિલા ઉપર બળજબરીપૂર્વક શારીરિક યૌન સંબંધ સ્થાપિત થયો હોય. તાજેતરમાં બનતી ઘટનાઓ મુજબ હનીટ્રેપના રોજ અનેક ગુનાઓ નોંધાઈ રહ્યાં છે. તે બતાવે છે કે પોતાની માતા- બહેનોને જબરજસ્તી આ પ્રકારના ગુનાઓ કરવા પ્રેરીને સામેના વ્યક્તિઓની પાસેથી પૂરતાં પ્રમાણમાં નાણાં પડાવવા અથવા અન્ય કોઈ ભૌતિક લાભ લેવાં કે તેની સેવાઓ લેવી વગેરે જેવી ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે.તેનું કારણ કાયદાનું બ્લેકમેલિંગ છે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય માટે કોઈ ભારેખમ જોગવાઈઓ નથી.

    એ જ રીતે ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સાઓમાં પણ સત્ય તપાસવામાં આવે તો ત્યાં પણ ઘણો બધો કીચડ જોવા મળે છે. ipc 498 મુજબ થતી કાર્યવાહીમાં ઘણીવાર જે લોકો સામેલ નથી. તેની સામે આક્ષેપો કરીને નાણાકીય લાભ લેવાનો હેતુ પાર પાડવામાં આવે છે. આવા કિસ્સાઓનું પણ પ્રમાણ ખાસ્સું વધી રહ્યું છે.

ભારતીય આર્ય સંસ્કૃતિ એ વાતની સાક્ષી પૂરે છે કે વિધર્મી કે સધર્મી લોકો સ્ત્રીની પાની જોવાની માંગણી કરતાં ત્યારે ખૂન્ખાર યુદ્ધ લડાયાના ઉદાહરણો આપણાં ઇતિહાસમાં તાદ્રશ્ય છે. જ્યારે આપણે સાંપ્રત સમયમાં કેટલાંય લોકો છેડચોક પોતાના શીલ નીલામી કરી રહ્યાં છે. પદ્માવતીનું ઉદાહરણ આપણા સૌ માટે વર્ષો સુધી માર્ગદર્શક બની રહેશે.

  અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર ધારા હેઠળ સને 2019 માં 45935 કેસ નોંધાયાં હતાં. જે સને 2015ના 38600 થી 19% નો વધારો સુચવે છે. પ્રશ્ન એ થાય કે જે રીતે શિક્ષણનો સાર્વત્રિક વ્યાપ વધ્યો અને સામાજિક સમરસતા વધુ માત્રામાં પ્રવ્રત્તિ રહી છે તો સામાજિક સમરસતા વધે કે ઘટે તો આ કેસ નો વધારો શું સૂચવે છે?

    આ બધાં કેસોનો વધારો તે આપણે વસ્તી વધારા સાથે કદાચ જોડીએ તો પણ તે માત્રા ઘણી વધારે છે બધાં જ દેશોમાં ખૂબ ઓછી માત્રામાં સજા થાય છે દા.ત.2019 માં ચાલેલા બળાત્કારના ટ્રાયલમાં કુલ 162000 કેસ પૈકીના માત્ર 27%  કેસમાં સજા થઈ હતી. એનો અર્થ એ થયો કે કાં તે કેસ ખોટાં હતાં અથવા તે કેસ સમાધાન થઈ ગયું. તો તેમની સામે આઇપીસી 122 મુજબ કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી ? આ કલમ હેઠળ ખૂબ ઓછાં પ્રમાણમાં કેસ નોંધાયાં છે. ખોટો કેસ કરવો ગુનાપાત્ર છે. પરંતુ તે ગુનો માત્ર બે વર્ષની સજાનો છે જે ખૂબ ઓછી કહેવાય.

      લોકજાગૃતિનું અને કાયદા જાગૃતિનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે જોતા હજુ ભવિષ્ય કાયદાને હથિયાર બનાવીને અન્યને હણવાની કોશિશ વધુ તેજ બનશે ત્યારે સામાન્ય માણસને રક્ષિત કરવાની જવાબદારી પણ કાયદો જ કરી શકે. યુરોપ, અમેરિકા વગેરે દેશોમાં આ પ્રકારની સુદઢ વ્યવસ્થાઓ છે.તેથી ત્યાં આવો દુરુપયોગ થતો નથી.તપાસનીશ એજન્સીઓ પણ કાયદાની જાણકારી છે. એક ઉકેલ તેના માટે એવો પણ વિચારી શકાય કે કોઈપણ આક્ષેપોની સત્યતા તપાસીને જ ગુનો દાખલ કરવામાં આવે. જેથી આવી કોઈ ચુંગાલમાં સામાન્ય માણસ ફસાઈ જાય તો બહાર નીકળવાં ફાંફા મારવાની જરૂર ન પડે...!!