Saturday, November 3, 2018


માનસ -ત્રિભુવન દિવસ પાંચમો તારીખ 31 -10-18
રાષ્ટ્રનું ભાવિ ઉજ્જવળ છે કારણ કે અહીં સાધુતા ધરબાયેલી છે: પૂજ્ય મોરારીબાપુ.
વ્યાસપીઠની સરદાર સાહેબને શબ્દાંજલી.

ગુર્જરધરાનો આજનો દિવસ એકતા ના મશાલચી સરદાર સાહેબને નામે અંકિત થયેલો હોય અને પૂજ્ય મોરારી બાપુની વ્યાસ ગાદી તેના શબ્દપોખણા મા મોડું કરે એવું અસંભવ જ છે .લગભગ પૂજ્ય બાપુના શબ્દપુષ્પો સભામંડપમાં શરૂ થયા બસ એ જ સમયે ભારતની એક વિરાટ પ્રતિભાની આભે આંબે એવી પ્રતિમા રાષ્ટ્પૅણ થઇ રહી હતી.
 પૂજ્ય બાપુ વાણી, વિવેક ના રસથાળ ને પીરસતા જણાવ્યું .સરદાર તો સરદાર જ છે.હું બારડોલી જાઉં છું જ્યાં ગાંધી-સરદાર જેવા મહાપુરુષોએ નિવાસ કર્યો હતો.તેજ ઓરડામાં નિવાસ કરવાનું મને સદ્ભાગ્ય સાંપડે છે .ભાવનગર નરેશ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ વલ્લભભાઈને સૌ પ્રથમ પોતાનું રાજ્ય સોંપી દઈ અખંડ ભારત ની કેડી કંડારી તે રાજાને પણ ન ભૂલી શકાય.
સરદાર વલ્લભભાઈ ના જીવનના પ્રસંગો ટાંકીને તેઓને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી. પરંતુ એક નોંધપાત્ર ઘટના એ સૌનું ધ્યાન ખેંચ્યું છે જ્યારે પૂજ્ય બાપુ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમર્પણ ત્યાગની વાત કરતા તે સમયે વડાપ્રધાનશ્રીએ રાજવીઓની ત્યાગ ભાવના ને જીવંત રાખવા સઘળા રાજવીઓનુ  એક નમૂનારૂપ સંગ્રહાલય સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પાસે જ નિર્માણ કરવા સૂચિત કર્યું.
પૂજ્ય બાપુએ આધ્યાત્મિક ચર્ચાનો દોર હાથમાં લેતા કહ્યું," ગુરુ નવ પ્રકારના હોય પણ તેમાં સર્વોચ્ચ ગુરુ પદ ત્રિભુવન ગુરુ છે .વૈશ્વિક રીતે તે છે મહાદેવ. અધ્યાત્મ જગત દ્રશ્ય -દ્રષ્ટા બંને ને જુએ છે .જ્યારે ભૌતિક જગત ને દ્રશ્ય દેખાય છે .પીર -સદગુરુ પરિચયમાં પાંચ તત્વો છે .(1)જ્યા પડદો ન હોય. પરદો મતલબ દંભ પાખંડ. ગાંધીજીએ મુસ્લિમ મહિલાઓનો પડદો હટાવી દીધો હતો .પીર કે સામને પરદા કે ક્યા?(2)જ્યા પ્યાલો હોય ત્યાં પીર (.3)જ્યાં પરચા હોય ત્યાં પીર .પરચો એટલે ચમત્કાર નહિ, પણ ખરો પરિચય .જુઓ અહીંયા સઘળું ગોઠવાઈ ગયું .રોજના 40 -50 હજાર લોકો  ભોજન પ્રસાદ પામે છે .તેમા કોઇ અલૌકિક તત્વનો પરિચય થઈ જતો હોય છે . (4)વિશ્વમાં કોઈ પામર ન ગણે તે પીર (5)જગતમાં ગમે તેટલા પદ મળે તો એના ઘરે તે પીર.
ગુરુના નવ પ્રકાર છે .પેલો કાનગુરુ બીજો કુલગુરુ ત્રીજો રાજગુરુ ચોથો ધર્મ ગુરુ પાંચમો સદગુરુ. ધર્મગુરુ ઘણાં હોય પણ સદગુરુ એક જ હોય. અથવા વધુમાં વધુ ચાર .માનસમાં ચાર સદગુરુ નો ઉલ્લેખ છે .તે નહીં ભ્રમિત કરે તે નહીં પણ ભ્રમ ભાંગે તે સદગુરુ. છઠ્ઠા જગત ગુરુ ,દાખલા તરીકે તુલસીદાસજી સાતમાં ,આઠમાં રાજ્યગુરુ અને નવમા ત્રિભુવન ગુરુ. ત્રિભોવન દાદાએ એ ત્યાગ અને બલિદાન આપતા શીખવ્યું. શંકર ની પરંપરા ધ્યાનથી શરૂ થઈ. દાદા બેરખો ફેરવતા ત્યારે આંસુ સરતા તે તેનું ધ્યાન હતું .પરમાર્થની છાયામાં આખું જીવન નિવૉહ થાય  એવુ જીવન એ જીવન ગુરુ.
       કથાના ક્રમને સંભાળતા પૂજ્ય બાપુએ શિવ-પાર્વતીના વિવાહનું પ્રવાહી વર્ણન કર્યું . જંજાળ ને શૃંગાર બનાવે તે શિવ અને તેના મસ્તિષ્કમાં ગંગા હોવી જોઈએ. શંકર પ્રતીકાત્મક કહે છે કપટ રહિત ખુલ્લા મનના રહેજો. ભૂત પ્રેત તેના વિચારો જીવને શિવ થતા અટકાવે છે. પોતાની કથા શૈલીમાં સૌ શ્રોતાઓને દુહા ચંદ ચોપાઈઓથી તરબોળ કરી દીધા .લગ્ન નામહત્વ પર ભાર મૂકી સુંદર રમૂજ કરી કે લગ્ન ગોઠવવા જોઈએ જેનો હજુ મેળ પડ્યો નથી. તેનું ક્યાંક થાળે પડી જાય તો રામ રાજી .સુમંત જ્યારે રામને વનમાં મુકવા જાય છે ત્યારે દાદા ગુરુએ રથ નું વર્ણન કર્યું છે. 1,સૂર્યરથ જેના ઘોડા શ્વેત છે. 2, સુમંત જેનાથી સારથી છે તે દશરથ નો રથ .જે રામને તેડવા માટે મોકલવામાં આવેલો. 3,મહાભારતમાં કૃષ્ણ જેના સારથી છે તે અર્જુન રથ. બધામાં ઘોડા શ્ર્વેત છે .કૃષ્ણના ઘોડાઓ એ યુદ્ધની વ્યુહરચના આપી.જ્યારે રામના અશ્વોએ શીલ, વિવેક ની ભેટ આપી . શિવ વિવાહ સાથે આજની કથાનું સમાપન થયું
 ------આજનું કથા વિશેષ---
----આજના મહેમાનો  પૂજ્ય નિમૅલાબા- પાળીયાદ, નિત્ય સ્વરૂપ સ્વામી સરધાર,ગોવિંદ બાપુ  સતાધાર, રામ બાપુ ,અર્જુન ખાટરીયા ગોંડલ , કબીર ભાઈ પીરઝાદા એકલબારા ,અને નાના ભાઈ રોયલા હતા.
--પુજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ પોતાના પ્રવચનમાં બાપુના મુખેથી કથા શ્રમણ નો લાભ લેવો તે એક સદ્ભાગ્ય ગણાય.
--પૂજ્ય બાપુએ પીર જગ્યાઓમાં થયેલી કથા ને યાદ કરી ને સઘળી વ્યવસ્થાઓ કોઈ અગમ્ય શક્તિથી જ સંચાલીત થતી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
--પૂજ્ય બાપુએ પોતાના પિતાશ્રીના રેશનાલિસ્ટ વિચારો એટલે કે ચમત્કારોથી અંતર જાળવી રાખવાનું તેમનામાં ઉત્તરી આવ્યાનો સંકેત કર્યો.
--ઉદયપુરના એક શ્રાવકનું અગ્નિશામક તરીકેની તેમની ભૂમિકા માટે નોંધ લઇ વ્યાસપીઠ તરફથી વિશેષ સન્માન કરવામાં આવ્યું.
---જાણીતા તબલચી હાજી રમકડું પણ આજની કથામા આવીને મંચ પર સંગીતકારો સાથે સ્થાન લીધું હતું .આજની કથા 2: 00 કલાકે વિરામ પામી હતી.




No comments:

Post a Comment