રામકથાના અદકેરા અવસરનો અવસરનો આરંભ તલગાજરડા હવે ત્રિભુવન તીર્થભૂમિ છે :પૂજ્ય મોરારી બાપુ માનસ ત્રિભુવનમા બાબા રામદેવ, ભાઈ શ્રી, અને રૂપાલા ની ઉપસ્થિતિ .
વૈશ્વિક ફલક પર રામકથા અને મોરારી બાપુ સાથે હવે તલગાજરડા એ પણ પોતાની અનોખી ઓળખ ઉભી કરી છે. પૂજ્ય બાપુના પૈત્રિક ગામ તરીકે તો લોકો તેને ઓળખે છે. પરંતુ ત્યાંના કાર્યોની સુવાસ પણ એટલી જ મોટી છે .તેજ ગામના યજમાન હરિભાઈ રામજીભાઈ મોરારીબાપુની 818 મી કથાના પોતાના જ ગામમાં યોજવામાં નિમિત બન્યા છે. તેથી તે પણ સૌને ખૂબ ઉમળકો હતો .આજે તારીખ 27- 10 -18 ને શનિવાર 3- 45 કલાકે રામકથાના પવિત્ર શબ્દો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
યજમાન પરિવાર દ્વારા વિશાળ શોભાયાત્રા નીકળી. જેમાં આહિર સમાજની માતાઓ ,દીકરીઓ પોતાના પારંપારિક પહેરવેશમાં જોવા મળી. બળદગાડા, ઘોડા અને સુશોભિત વાહનોથી પોથી યાત્રા એક ઐતિહાસિક મુકામે પહોંચી.
મંગલાચરણમાં દીપ પ્રજ્વલન કરવા યોગગુરુ બાબા રામદેવ જી મહારાજ, ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા, કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, ભવનાથના ભારતી બાપુ ,શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નિમંત્રિત કરવામાં આવ્યા .યજમાન પરિવારના હરિભાઈ, દર્શનભાઈ અને લંડનથી પધારેલા શ્રાવક અને ભાવક રમેશભાઈ સચદેવ હાજર રહ્યા.
પોતાના વક્તવ્યમાં શ્રી રામદેવ બાબાએ કહ્યું કે આવા પવિત્ર શબ્દો પ્રસંગોને લોકો સુધી પહોંચતો કરવાનું કાર્ય વિવિધ ધાર્મિક ચેનલો કરે છે. પરંતુ તેને અટકાવવાના પ્રયત્ન મંત્રી શ્રી સુચના પ્રસારણ ના માધ્યમથી નિષ્ફળ બનાવીને પ્રભુકાર્યમાં સૌને જોતરવાનું શ્રેય લઈ શકાયું છે. ભાગવતજ્ઞાતા પૂજ્ય ભાઇ શ્રી એ શબ્દ ને બ્રહ્મરૂપ ગણાવી દરેક શ્રોતાઓ સુધી તે ઠાકોરજીના સ્વરૂપે પહોંચે છે તેમ જણાવ્યું. આ રીતે ઈશ્વર તત્વ શબ્દો થી આપણા સુધી આવવાનો તેઓએ મત વ્યક્ત કર્યો .વધુમાં તેમણે પોતાને રામચરિતમાનસના વક્તા તરીકે સ્થાપિત કરવા પૂજ્ય મોરારી બાપુ જ માધ્યમ બન્યા હોવાનું કહ્યું. ભારતી બાપુએ રામ કથા જ જીવનનો એકમાત્ર માર્ગ હોવાનો મત પ્રગટ થયો કર્યો.
પુ મોરારિબાપુએ કથાનું મંગલાચરણ કરતાં કહ્યું કે મારા દાદા પાસેથી મને માનસ ની પ્રસાદી પ્રાપ્ત થઈ છે. તેથી હું વ્યક્તિગત રીતે કહું છું કે આ ગામ મારા માટે ત્રિભુવન તીર્થ છે.સાહેબ, રામ કથામાં હું કહી દઉં" આઇ એ હનુમંત બિરાજીયે" પછી સૌને ઈશ્વર જ પ્રેમનો પરમાર્થ કરાવે છે .ભગવત્કૃપાથી શાંતિ એકતા , ભાઇચારો છે એ જ એક મોટી વાત છે. સાધુ સમાજ,વિપ્ર સમાજે સૌને રૂડા કરી દેખાડયા છે .મહુવાની સામે કથા ગાવાનો,બોલવાનો છુ પછી વસુંધરા જ વ્યાસપીઠની ઈજ્જત નહિ રાખે ?..રાખશે .....રાખશે.હું આઠ વર્ષનો હતો.જ્યારે આજ પાછળના ખેતરમાં માંડવી વીણવાનું, કસ્તુરી રોપવાનું, કામ કર્યાનું યાદ છે. હવે આજ ભૂમિ પર નવી ખેડય કરવા આવ્યો છું. સમાધાન પ્રેમ છે તો શરણાગતિ કરુણા છે .પૂજ્યપાદ મારા દાદાના નામે આ કથાનું નામા-ભિધાન માનસ ત્રિભુવન કરાયું છે.
આજનું કથા વિશેષ
-ધારાસભ્યશ્રી આર સી મકવાણા, કેશુભાઇ નાકરાણી , પ્રવિણભાઇ મારુ ,અમરીશભાઈ ડેર, કનુભાઈ બારૈયા, સાંસદ નારણભાઇ કાછડીયા ,વિપક્ષી નેતા પરેશ ધાનાણી વગેરે વિશેષ ઉપસ્થિત હતા.
-સુરત ઉદ્યોગપતિઓ સવજીભાઇ ધોળકિયા ,લવજીભાઈ બાદશાહ વગેરે પણ આજની કથામાં ઉપસ્થિત હતા
-તલગાજરડામાં સોળ વર્ષ પછી રામ કથા નું આયોજન થયું છે અને અહીં નિત્ય દસમી કથા છે બાપુએ આ કથાને દક્ષિણાભિમુખ કથા કઈ છે
-દુનિયાભરના રામ કથા સાથે જોડાયેલા રામ ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડ્યા છે
-કથાનો વિશાળ આયોજન અને બીજી તરફ શહેરની અશાંત પરિસ્થિતિ એ સૌને ઉંચા નાખ્યા હતા પરંતુ રામનામના પ્રભાવથી પુનઃ શાંતિ સ્થપાઇ છે.
-કથાના નવ દિવસનું ભોજન નાસ્તા નુ મેનુ સોશિયલ મીડિયામાં ફરતુ થયું છે.તે સ્વાદપ્રેમીઓમાં પ્રેમીઓમા મોમાં પાણી લાવી દેનારુ બની ગયું છે
-સ્વયંસેવકોની મોટી ફોજ સમગ્ર આયોજનને પાર પાડવા માટે તનતોડ મહેનત કરી રહી છે - -મહુવા ડેપોમાંથી કથા સ્થળે જવા આવવા દર પંદર મિનિટે એસટી ની વ્યવસ્થા કરવામાં આવી છે ---- -આસપાસના તાલુકાના સાધુ બ્રાહ્મણો ને શુક્રવારે તારીખ 26-10-18 ના રોજ સમુહ ભોજન પીરસીને યજમાન પરિવારે એક નવી પહેલ કરી છે.
-તખુભાઈ સાંડસુર વેળાવદર
વૈશ્વિક ફલક પર રામકથા અને મોરારી બાપુ સાથે હવે તલગાજરડા એ પણ પોતાની અનોખી ઓળખ ઉભી કરી છે. પૂજ્ય બાપુના પૈત્રિક ગામ તરીકે તો લોકો તેને ઓળખે છે. પરંતુ ત્યાંના કાર્યોની સુવાસ પણ એટલી જ મોટી છે .તેજ ગામના યજમાન હરિભાઈ રામજીભાઈ મોરારીબાપુની 818 મી કથાના પોતાના જ ગામમાં યોજવામાં નિમિત બન્યા છે. તેથી તે પણ સૌને ખૂબ ઉમળકો હતો .આજે તારીખ 27- 10 -18 ને શનિવાર 3- 45 કલાકે રામકથાના પવિત્ર શબ્દો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
યજમાન પરિવાર દ્વારા વિશાળ શોભાયાત્રા નીકળી. જેમાં આહિર સમાજની માતાઓ ,દીકરીઓ પોતાના પારંપારિક પહેરવેશમાં જોવા મળી. બળદગાડા, ઘોડા અને સુશોભિત વાહનોથી પોથી યાત્રા એક ઐતિહાસિક મુકામે પહોંચી.
મંગલાચરણમાં દીપ પ્રજ્વલન કરવા યોગગુરુ બાબા રામદેવ જી મહારાજ, ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા, કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, ભવનાથના ભારતી બાપુ ,શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નિમંત્રિત કરવામાં આવ્યા .યજમાન પરિવારના હરિભાઈ, દર્શનભાઈ અને લંડનથી પધારેલા શ્રાવક અને ભાવક રમેશભાઈ સચદેવ હાજર રહ્યા.
પોતાના વક્તવ્યમાં શ્રી રામદેવ બાબાએ કહ્યું કે આવા પવિત્ર શબ્દો પ્રસંગોને લોકો સુધી પહોંચતો કરવાનું કાર્ય વિવિધ ધાર્મિક ચેનલો કરે છે. પરંતુ તેને અટકાવવાના પ્રયત્ન મંત્રી શ્રી સુચના પ્રસારણ ના માધ્યમથી નિષ્ફળ બનાવીને પ્રભુકાર્યમાં સૌને જોતરવાનું શ્રેય લઈ શકાયું છે. ભાગવતજ્ઞાતા પૂજ્ય ભાઇ શ્રી એ શબ્દ ને બ્રહ્મરૂપ ગણાવી દરેક શ્રોતાઓ સુધી તે ઠાકોરજીના સ્વરૂપે પહોંચે છે તેમ જણાવ્યું. આ રીતે ઈશ્વર તત્વ શબ્દો થી આપણા સુધી આવવાનો તેઓએ મત વ્યક્ત કર્યો .વધુમાં તેમણે પોતાને રામચરિતમાનસના વક્તા તરીકે સ્થાપિત કરવા પૂજ્ય મોરારી બાપુ જ માધ્યમ બન્યા હોવાનું કહ્યું. ભારતી બાપુએ રામ કથા જ જીવનનો એકમાત્ર માર્ગ હોવાનો મત પ્રગટ થયો કર્યો.
પુ મોરારિબાપુએ કથાનું મંગલાચરણ કરતાં કહ્યું કે મારા દાદા પાસેથી મને માનસ ની પ્રસાદી પ્રાપ્ત થઈ છે. તેથી હું વ્યક્તિગત રીતે કહું છું કે આ ગામ મારા માટે ત્રિભુવન તીર્થ છે.સાહેબ, રામ કથામાં હું કહી દઉં" આઇ એ હનુમંત બિરાજીયે" પછી સૌને ઈશ્વર જ પ્રેમનો પરમાર્થ કરાવે છે .ભગવત્કૃપાથી શાંતિ એકતા , ભાઇચારો છે એ જ એક મોટી વાત છે. સાધુ સમાજ,વિપ્ર સમાજે સૌને રૂડા કરી દેખાડયા છે .મહુવાની સામે કથા ગાવાનો,બોલવાનો છુ પછી વસુંધરા જ વ્યાસપીઠની ઈજ્જત નહિ રાખે ?..રાખશે .....રાખશે.હું આઠ વર્ષનો હતો.જ્યારે આજ પાછળના ખેતરમાં માંડવી વીણવાનું, કસ્તુરી રોપવાનું, કામ કર્યાનું યાદ છે. હવે આજ ભૂમિ પર નવી ખેડય કરવા આવ્યો છું. સમાધાન પ્રેમ છે તો શરણાગતિ કરુણા છે .પૂજ્યપાદ મારા દાદાના નામે આ કથાનું નામા-ભિધાન માનસ ત્રિભુવન કરાયું છે.
આજનું કથા વિશેષ
-ધારાસભ્યશ્રી આર સી મકવાણા, કેશુભાઇ નાકરાણી , પ્રવિણભાઇ મારુ ,અમરીશભાઈ ડેર, કનુભાઈ બારૈયા, સાંસદ નારણભાઇ કાછડીયા ,વિપક્ષી નેતા પરેશ ધાનાણી વગેરે વિશેષ ઉપસ્થિત હતા.
-સુરત ઉદ્યોગપતિઓ સવજીભાઇ ધોળકિયા ,લવજીભાઈ બાદશાહ વગેરે પણ આજની કથામાં ઉપસ્થિત હતા
-તલગાજરડામાં સોળ વર્ષ પછી રામ કથા નું આયોજન થયું છે અને અહીં નિત્ય દસમી કથા છે બાપુએ આ કથાને દક્ષિણાભિમુખ કથા કઈ છે
-દુનિયાભરના રામ કથા સાથે જોડાયેલા રામ ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડ્યા છે
-કથાનો વિશાળ આયોજન અને બીજી તરફ શહેરની અશાંત પરિસ્થિતિ એ સૌને ઉંચા નાખ્યા હતા પરંતુ રામનામના પ્રભાવથી પુનઃ શાંતિ સ્થપાઇ છે.
-કથાના નવ દિવસનું ભોજન નાસ્તા નુ મેનુ સોશિયલ મીડિયામાં ફરતુ થયું છે.તે સ્વાદપ્રેમીઓમાં પ્રેમીઓમા મોમાં પાણી લાવી દેનારુ બની ગયું છે
-સ્વયંસેવકોની મોટી ફોજ સમગ્ર આયોજનને પાર પાડવા માટે તનતોડ મહેનત કરી રહી છે - -મહુવા ડેપોમાંથી કથા સ્થળે જવા આવવા દર પંદર મિનિટે એસટી ની વ્યવસ્થા કરવામાં આવી છે ---- -આસપાસના તાલુકાના સાધુ બ્રાહ્મણો ને શુક્રવારે તારીખ 26-10-18 ના રોજ સમુહ ભોજન પીરસીને યજમાન પરિવારે એક નવી પહેલ કરી છે.
-તખુભાઈ સાંડસુર વેળાવદર
No comments:
Post a Comment