Wednesday, October 3, 2018

લેખ ૪૯૭ પર

IPC ૪૯૭ રદ્દ : સમાજ નવનિર્માણની આઝાદી કે વ્યભિચારને ખુલ્લુ સમર્થન ?!                                ..                                                                                            ..  તખુભાઈ સાંડસુર                                    કેરળનો વ્યક્તિ જોસેફ સાઈન સને ૨૦૧૭માં સર્વોચ્ચ અદાલતમાં વ્યભિચાર ગુનો નથી તે માટે એક જન હિત અરજી કરે છે. ભારતીય ફોજદારી કાયદાની કલમ ૪૯૭ની જોગવાઈ રદ કરીને સીઆરપીસીની કલમ ૧૯૮ની કાર્યવાહી કે અમલીકરણને બંધ કરવામાં આવેે. મુદ્દો સંવેદનશીલ હતો.તેથી ભારતની સર્વોચ્ચ અદાલતે સીજીઆઈની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેંચે તાજેતરમાં આ અંગેનો ચુકાદો સંભળાવીને જોસેફની વાત માની લીધી.એક જોગવાઈ મુજબ કોઈપણ અદાલતોના ચુકાદાઓ કે બંધારણીય  વિવિધ ઠરાવો અથવા લોકતંત્રની કાયદો ઘડનારી સંસ્થાઓ સંસદ કે ધારાસભાઓમાં સર્વોચ્ચ અદાલતનો હુકમ આખરી અને છેલ્લો માનવામાં આવે છે. તે જ કોર્ટ તેની અપીલ સ્વીકારી શકે અથવા તેના પર પૂનઃવિચાર કરવાની સત્તા પણ ધરાવે છે. પરંતુ મુખ્ય ન્યાયધીશની અધ્યક્ષતામાં બનેલી પાંચ જજોની ખંડપીઠે આપેલા નિર્ણયો છેલ્લા જ ગણવા પડે.

બંધારણની કલમ ૧૯માં ભારતના તમામ નાગરીકને વાણી, વિચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે. વ્યભિચાર એટલે કે કોઈપણ બે વિજાતિય વ્યક્તિઓ કે જેઓ લગ્ન સંસ્થાથી જોડાણ ધરાવે છે તે કોઈ અન્ય ત્રાહિત વ્યક્તિ સાથે શારિરીક સંબધ સ્થાપિત કરે તો તે આ વ્યાખ્યામાં આવે. લગ્નને કોઈ માલિકી હકના સંદર્ભે ન જોવામાં આવે તો પણ એક મેકના વિશ્વાસ કે સ્થાયી સંવેદનશીલ સંબધોના સ્વરૂપે જોવુ જોઈએ.

સર્વોચ્ચ અદાલતના જે પાંચ ન્યાયમૂર્તિઓએ આઈપીસી ૪૯૭ ને નાબુદ કરવા ચૂકાદો આપ્યો તેમા એક મહિલા જસ્ટીસ પણ છે,ઈંદુ મલ્હોત્રાજી.કોર્ટ કહે છે કે ૧૮૬૦માં બનેલો આ કાયદો આજના પરીપ્રેક્ષમાં જુનો, આઉટડેટેડ છે. વિકસિત દેશો જાપાન, ચીન, ફ્રાન્સમાં વ્યભિચારને અપરાધની વ્યાખ્યા મુકવામાં આવતો નથી. જીવવાના અધિકારની શ્રેણીમાં પણ જાતિય સંબધો સ્થાપિત કરવા મુક્તતા હોવી જોઈએ. જસ્ટીસ ઈંદુ મલ્હોત્રાજીએ નોંધ્યુ કે મહિલાને હંમેશા પીડીત માનવામાં આવે છે. જ્યારે પુરૂષને પ્રલોભક ગણીને તેને સતત અન્યાય થઈ રહ્યા છે. વ્યક્તિને પોતાના વર્તનનો સ્વૈચ્છિક રીતે અધિકાર મળવો જોઈએ.તેમા પણ કોઈ લિગભેદ ન હોય. જ્યાં આ સ્વેચ્છાચારને ગુનો ગણવામાં આવે છે. તેવા રાષ્ટ્રો રૂઢિગત છે. દા.ત. અફઘાનીસ્તાન, પાકિસ્તાન,  ઈરાન, આફ્રિકાના દેશો જે મોટે ભાગે મુસ્લિમ રાષ્ટ્રો છે. ત્યાં શરિયતને વધુ મહત્વ અપાઈ રહ્યુ છે.

અમેરીકામાં આવા અવૈધ સંબંધો પર એક સર્વે કરવામાં આવ્યો. તેમા તારણો નીકળ્યા કે ત્યાં આવી વૃત્તિઓને ૨૫ વર્ષમાં વધુ વેગ મળ્યો છે. ૧૪ ટકા સ્ત્રીઓને એકસ્ટ્રા મેરીટીયલ રીલેશનમાં રુચિ છે.૧૭ ટકા લોકોના અવૈધ સંબંધોથી ડીવોર્સ થયા છે. ૯૦ ટકા લોકો અવૈધ સંબધને અનૈતિક માનતા નથી. સંબંધોના તંતુ જોડવામાં ૮૫ ટકા સ્ત્રીઓ છેતરાઈ છે. જ્યારે પુરૂષોનું પ્રમાણ તેમા ૫૦ ટકા છે. આ રીતે વિકસીત રાષ્ટ્રનો વ્યુહ અલગ છે. તેથી ત્યા હવે લગ્નજીવનનો સમયગાળો અતં તરફ ગતિ કરી રહ્યો છે.

અત્યાર સુધી લગભગ આ કલમનો ઉપયોગ ભારતમાં કોલગર્લ અને ગ્રાહકની ગેરકાનુની પ્રવૃત્તિ પર કરવામાં આવે છે. કોઈ પતિ પત્નીના કિસ્સામાં આ કલમનો કોરડો ભાગ્યે જ વિઝવામાં આવ્યો હોવાનુ ધ્યાને આવ્યું છે. તો અહિ તેને રદ કરવાનું કેટલુ પ્રસ્તુત છે !

ભારતની સમગ્ર સમાજ વ્યવસ્થા ધર્મની રૂઢિગત માન્યતાઓ સાથે સંલગ્ન છે. જાતિય વૃત્તિઓને સ્વેચ્છાચારમાં બદલીને વ્યક્તિના માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય પર પણ ખતરો મંડરાયેલો રહે છે. માનવ એક એવુ પ્રાણી છે કે તેનામાં સૌથી વધુ સેકસ્યુલ જેલ્સીની માત્રા જોવા મળે છે. અને માટે સ્ત્રી લગતા અપરાધોનું પ્રમાણ પણ ખુબ વધારે છે.ત્યારે તેમા ખુબ ઉછાળો લાભ. લગ્ન જીવન પર પણ નવો ખતરો મંડરાયેલો રહેશે. સ્વૈચ્છાચારથી સમાજ વ્યવસ્થા ધ્વંસ થશે. ભગવદગીતાના શબ્દો ટાંકીએ તો વ્યભિચારથી વણશંકર પ્રજા નિર્માણ પામશે. દેહ વ્યાપારની ગેરકાનૂની પ્રવૃત્તિથી મહાનગરો ધમધમી ઉઠે તેમપણ બને. આઈપીસી ૩૭૭ એટલે સમલૈગિકતાને માન્યતા અને પછીથી ૪૯૭ પર ચોકડી મારવા જેવા અદાલતીય ચુકાદાઓ આપણી પારંપારિક સમાજ વ્યવસ્થા માટે પડકારરૂપ બનશે. તે એટલુ જ સનાતન છે. કરણ થાપરનું એક વાક્ય ટાંકુ છુ.

"Ther's much ado about fidelity and infidelity.I think sometimes true emotional relationships can go beyond those."

એટલે કે જ્યાં વધારે નિષ્ઠા અને અવિશ્વાસનું દ્વંદ્ધ હોય તેજ સબંધો ખરા સંવેદનશીલ ગણાય. દેશી કહેવત છે કે ઘરમાં વાસણ ખખડે પણ ખરા પણ તેનાથી તેને અભેરાઈએ ન ચડાવી દેવાય. આ શકવર્તી ચૂકાદાનો પૂર્નવિચાર કે તેના માટે કેન્દ્ર સરકારનો કોઈ વટહુકમ આપણી સાંસ્કૃતિક ધરોહરને બચાવનારો સાબીત થઈ શકે.

No comments:

Post a Comment