Wednesday, March 31, 2021

લેખ મુંબઈ મામલો

 મુંબઈ મામલો:પોલીટીક્સ વાયા પોલીસ ક્રિમિનોલોજી

તખુભાઈ સાંડસુર

તાજેતરમાં ઉદ્ધવ સરકારથી લઈને દિલ્લીના પાવર પોલીટીક્સની ચેમ્બરોમા એક ચીયસૅ છે, સચિન કે નામ. સચિન વાજે મુંબઈ પોલીસનો અધિકારી પોતાને મળેલી વિશાળ સત્તાઓના ઓઠાં હેઠળ કેટલી હદ સુધી નૈતિકતાને છેડચોક નિલામ કરીને મુકેશ અંબાણી જેવાં દેશના ટોચનાં ઉદ્યોગપતિઓની સલામતીને પડકાર આપે છે. તે બતાવે છે કે પોલીસમાં કેવાં પ્રકારની નિમ્ન કક્ષાની નીતિ કામ કરી રહી છે.

     મુંબઈના પુવૅ પોલીસ કમિશનર પરમવીર સિંગનો આક્ષેપ છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ આ શખ્સને 100 કરોડ દર મહિને એકઠાં કરવાનો લક્ષ્યાંક આપી રાખ્યો હતો.આ લક્ષ્યાંક પાર પાડવા માટે ક્રિમિનલ એક્ટિવિટીને રોકવાનો ઠેકો રાખનાર પોલીસ ક્રિમિનોલોજીની ચરમસીમા કેવી હોય તેનો ચહેરો સચિન વાજે સમાજની સામે લઈ આવે છે. પોલીસ તંત્ર જે રીતે ફોજદારી કાર્યરીતિ સંહિતા અને ફોજદારી ધારોના દંડાને હાથમાં રાખીને જે સત્તા આપવામાં આવી છે તેનો અનેક જગ્યાએ દુરુપયોગ થઇ રહ્યાના અનેક ઉદાહરણો છે. ક્યાંક તે બહાર આવે છે ક્યાંક ડુબેલા..! આપણાં દેશમાં પોલીસ સામે પગલાં લેવાં માત્ર રાજકારણીઓ જ પરોક્ષ રીતે છૂટ મળેલી છે.તેથી તે કાયદા હેઠળ બેફામ થતાં રહેતાં હોય છે.સામાન્ય પ્રજા તેનાથી સતત પીસાતી રહે છે. કોઈપણ પોલીસ અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા નેવાના પાણી મોભે ચડે છે.અને દાખલ થયાં પછી પણ તે ફરિયાદને સાબિત કરવી એ ખૂબ અઘરી હોય છે. સામાન્ય નાગરિકોએ આ માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખવડાવવાં પડે છે. અને તે સામાન્ય માણસોનું કામ નથી રાજકારણીઓ પોતાના કઠપુતળી જેવા પોલીસ અધિકારીઓને પડદા પાછળ રહીને કાયદાની દોરીથી નચાવતા રહે છે.પોલીસ અધિકારીઓ તેની પાસે લાચાર હોય છે,કારણકે તેણે અગાઉ કરેલાં ગેરકાનૂની કાર્યો માટે મોટી સજા ભોગવવા તૈયાર રહેવું પડે છે.આ બધું દુરસ્તી માંગે છે મજબૂત માનવાધિકારી સંવેદના ઊભી કરવા વિશેષ પ્રયોજનો જરુરી બની છે. ખોટો ફોજદારી કેસ કરવા માટે ipc 122 માંજોગવાઈઓ છે. પરંતુ તે જોગવાઈ ખૂબ પાંગળી છે અહીંયા ipc માં સુધારો કરીને એવી જોગવાઈઓ કરી શકાય કે કોઈપણ વ્યક્તિ જે કોઈપણ કાયદા હેઠળ તેના પર જે આક્ષેપ કરવામાં આવે અને આક્ષેપ સાબિત ન થાય અને પછી એ બધા જ આક્ષેપો જો પાયા વિહોણાં સાબિત થાય તો તેમની સામે આક્ષેપિત વ્યક્તિઓ સામે જે કોઈ ફોજદારી કલમો હેઠળ કામ ચલાવવામાં આવેલું હોય એવું જ ફોજદારી કામ તે વ્યક્તિ સામે ચલાવામાં આવે.જેથી કાયદાથી ઊભી થયેલી અરાજકતાને અંકુશમાં લાવી શકાશે.

        મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિ પાસેથી મુંબઈ જેવા આર્થિક પાટનગરમાં ખંડણી માંગવાની ટ્રીક અને.. હિમંત !તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે આપણી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી હદે ખખડધજ થઈ ગઈ છે.કાયદાને કુચો ગણનાર લોકો કેવી હિંમત કરતાં થયાં છે..? આવતાં દિવસોમાં સરકારમાં નિષ્ઠાવાન અને મૂલ્યો ધરાવનારાં વ્યક્તિઓનો જો દુકાળ ઊભો થશે તો સૌએ રાતા પાણીએ રોવું પડશે ! આપણે સિદ્ધ કરવું પડે કે આ ભારત છે અને અહીં કાયદાનું શાસન છે. સરકારોએ પોતાની ડુગ ડુગી ચલાવવા માટે પોલીસ અધિકારીને જે રીતે હથિયાર બનાવવામાં આવે છે તેનાથી મુક્ત થવું જોઈએ. એટલું જ નહીં પોલીસ પણ એક ફોર્સની રીતે શિસ્ત જાળવી રાખે એ ખૂબ જરૂરી હોય છે. પોતાના અસુલો સાથે કોઈપણ સમાધાન નહીં..! પોતે એક દળનો સિપાહી છે તેવી દઢતા  અકબંધ રહે.

      સરકારને મળતો નાણાંનો પ્રવાહ અટકાવી પ્રાથમિકતા જનહિતની હોય.કોઈ ઉઘરાણાં કરી, ચુંટણીમાં તેને વાપરી જીતવાનું અને મતદાતાઓને અભાન કરી થપ્પા મરાવવાના ક્યાં સુધી ?.આદશૅ વગર સૌ એડજેસ્ટ કરે છે.આ મામલો રાજકીય પરિપ્રેક્ષ્યમાં નહીં સત્યની એરણે સુલજાવો જોઈએ.દોષિતો ન્યાયિક રીતે દંડિત થાય તો જ કાયદાની ઓળખ પ્રસ્થાપિત થશે.