Thursday, September 30, 2021

શિક્ષક ગણ માટે

 શિક્ષકો જોગ

-----મેસેજ તમામ પ્રવૃત/ નિવૃત શિક્ષકો સુધી આગળ મોકલી આપશો------

   (પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણ)

આપને જણાવતા આનંદ થાય છે કે શિક્ષણવિદ્ શ્રી તખુભાઈ સાંડસુરના જન્મદિવસને "શિક્ષક ભાવવંદના દિવસ" તરીકે 11 ઓક્ટોબર 2021ના રોજ મનાવશે.તે દિવસે રાજ્યના 61 શિક્ષકોની પીઠ થપથપાવીને શિક્ષક પ્રેરણામા વિધાર્થી ઉન્નતિનો અકૅ છુપાયાની વાત સ્પષ્ટ અને સુનિશ્વિત કરવી છે.તેજ રસ્તે આગળ વધી વિદ્યાર્થી કલ્યાણથી રાષ્ટ્રીય નવનિર્માણમાં થોડી આહુતિ આપવી છે.આ સન્માન માટે આપ સૌ આમંત્રિત છો.તે માટે આપ આપની વિગત સાથે આચાર્યનું પ્રમાણપત્ર જોડીને કુરિયરથી એક અઠવાડિયામાં તા 5 ઓક્ટોબર સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપશો.

#--કોણ ભાગ લઈ શકે --?----પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણના કોઈ પણ ખાનગી, સરકારી, સેલ્ફ ફાઈનાન્સ શાળા -કોલેજો શિક્ષક ભાઈ બહેનો સેવારત અથવા નિવૃત પણ..નિવૃતોને આચાયૅ પ્રમાણપત્રની જરૂર નથી.અર્થાત જે શિખવે તે શિક્ષક.

#--પસંદગીની લાયકાત- જે શિક્ષક ભાઈ બહેનો શિક્ષક કર્મ સમર્પિત રીતે કરી રહ્યાં હોય.પ્રયોગ, ટેકનોલોજીથી શિક્ષણ રસપ્રદ કર્યું હોય.જેમને કોઈ પ્રતિષ્ઠિત પુરસ્કાર/સન્માન ન મળ્યું હોય.જેમકે સરકાર દ્વારા અથવા કોઈ સંસ્થા મારફતે...

#મોકલવાની વિગતો

1,નામ 2,સરનામું તથા વોટ્સએપ મોબાઇલ 3,સેવાસ્થળ 4,નિવાસ 5, લાયકાત તથા ઉમંર જન્મતારીખ 6, નોકરીનો અનુભવ 7, શિક્ષક તરીકે વિશિષ્ટ સેવા,8, શિક્ષક તરીકે ટેકનોલોજીનો અનુભવ,9, શિક્ષણમા નવીનતમ પ્રયોગો,10, તમે શા માટે શિક્ષક તરીકે સફળ છો ?( ત્રણ વાક્યો માં ઉપલબ્ધિ જણાવો) 11, શિક્ષક સિવાયનો કોઈ પુરક વ્યવસાય,સ્થળ તેમાંથી મળતું ફુલ વળતર

 12, શિક્ષણ સિવાય વિશેષ સહપ્રવૃતિ - (ત્રણ વાક્યોમાં જણાવો.(પાસપોર્ટ ફોટોગ્રાફ મોકલવો-જે પરત નહીં મોકલાય પરંતુ તેનો નાશ કરી દેવાશે)

13, શું તમે મુખ્ય કાયૅક્રમમાં મુ.ગારિયાધાર જિ ભાવનગર ખાતે ઉપસ્થિત રહેશો કે તમારા નજીકના ઝોનના સ્થળ પર ?

14 ટુંકો પરિચય-નામ,વ્યવસાય સ્થળ-સરનામુ,નોકરીની લંબાઈ, શિક્ષણમાં યોગદાન,શિક્ષણમાં કરેલ પ્રયોગ- ઈનોવેશન, શિક્ષણમાં આગામી આપના ધ્યેયો.( આઠ -દસ વાક્યોમાં)

-

---જેને કોઇ સરકારી કે પ્રતિષ્ઠિત એવોર્ડ મળેલો ન હોવો જોઇએ.

----શિક્ષણમાં સમર્પિત, સતત વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હોય.

---નિવૃત શિક્ષક, પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ કોલેજના અધ્યાપકો સુધીના સૌ કોઈ પોતાની પ્રોફાઈલ મોકલી શકશે.

- ભાવનગર,અમરેલી બોટાદનો ઉમેદવારો રુબરુ કાયૅક્રમ સ્થળે હાજર રહેશે પણ સ્વેચ્છાએ કોઈ આ કાયૅક્રમમાં આવવા ઈચ્છુક હશે તો આવી શકશે.બાકીના ઉમેદવાર પોત પોતાના ઝોનમાં હાજર રહેશે.પંસદગી સમિતી દ્વારા પંસદ થયેલ  શિક્ષકોની યાદી 6 ઓક્ટોબર 21 ના રોજ જાહેર કરવામાં આવશે. જેની જાણ કરવામાં આવશે.

--   --આ કાર્યક્રમમાં આપ સહયોગી બની શકશો.આપના મુલ્યવાન સુચનો આવકાર્ય છે.

વિગતો મોકલવા નું કુરિયર સરનામું


તખુભાઈ સાંડસુર

મુ ગારિયાધાર c / o મનોજ બારૈયા અંજની કુરિયર, ગાંધી ચોક જિ.ભાવનગર

9427560366

Email- sandsurtakhubhai703@gmail.com