Monday, March 30, 2020

29-3 tatha 30-3-20 Harikatha moraribapu

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

સંકલન- તખુભાઈ સાંડસુર

ચૈત્રી નવરાત્રી અને રાષ્ટ્રીય અનુષ્ઠાન ચતુર્થ દિને આપ સૌને જય સીયારામ. સૂર્યનો તાપ અને તુલસી ઔષધી છે એટલું જ નહીં" ઔષધો જાહ્નવી તોયમ્"ગંગાજળ પણ ઔષધી છે. યોગવશિષ્ઠ રામાયણ કહે છે, કે દારિદ્ર ,મરણ, ભ્રમ ઇત્યાદિ ઘણાં પ્રશમન માટે સાધુસંગ પણ ઔષધી છે. સાધુ એટલે કોણ ?  વ્યક્તિપૂજા કે વેશપૂજાની વાત નથી. પરંતુ ભારતના ઋષિઓએ જે ઔષધિઓ બતાવી તેમાં સાધુ સંગની જે વાત કરી.સાધુ વિચાર છે, સાધુ વિચાર છે, વ્યવહાર છે ,સાધુ કરણીની પૂજા છે. રામાયણ જણાવે છે.
"પ્રથમ ભક્તિ સંતન કરન સંગ
દુસરી રતી મમ કથા પ્રસંગા,
સંત્ સંગતી દુર્લભ સંસારા
નિમિત્તે દંડ એક ભરી બારા."
ભૂરો રંગ વિશાળતા, લાલ રંગ વીરતા,લીલો રંગ સમૃદ્ધિ, પીળો પવિત્રતા ,કાળો ઉદાસીનતા અને સફેદ શાંતિનો રંગ છે. એટલે કે જેનામાં વિશાળતા , અસિમતા ,વીરતા ,આતંર સમૃદ્ધિ, પવિત્રતા ,એકાંત ઉદાસી છતાં પણ શાંતિ એવો વિશ્વમાનવ .જેમાં આ બધું સમાહિત થયેલું છે. "કનક ભુધરા શરિરા" હનુમાનજી માટે કહેવાયું છે ,તેથી તે સાધુ છે. શાંતિ પમાડે ,શાંતિમાં ડૂબેલાં રહે,શાંત સ્વરૂપ હોય એવો કોઈ બુદ્ધપુરુષ સાધુ છે. પણ આ બુદ્ધ પુરુષને શોધવા ક્યાં? વિનયપત્રિકા કહે છે કે તમારાં પોતાનો પરિચય -જેમાં તમને નિરંતર શાંતિ દેખાય ,જે આત્મવિચારમાં ડૂબેલો છે, પરમાત્મામાં ડૂબેલો છે. પરિસ્થિતિ આવે તેમાં તે સંતુષ્ટ રહે છે ."સંત સંગતિ ચારી દઢ્ કરી" શાંતિ, સંતોષ, બ્રહ્મ વિચારણા , સાધુનું સતત સેવન થતું હોય તે સાધુ પુરુષ બીમારીમાંથી મુક્ત કરે.
એક હરી કથા છે. સતીષ વ્યાસજીએ બિહારના બાબુલજી પરથી લખેલી છે. બે પક્ષી ખપાટ ના પિંજરામાં કેદ હતાં. શિકારીની સાથે રહીને તેની રહન-સહન અને ભાષા તેઓ સારી રીતે સમજી ગયાં હતાં. શિકારી ક્યારે બહાર જાય છે. શું બોલે છે,તેની તેને ખબર હતી. બપોરના સમયે જ્યારે શિકારી બહાર જાય. ત્યારે બંને પક્ષીઓએ બાંધેલી ખપાટના દોરાને તોડીને બહાર નીકળવાનો મનસુબો કર્યો. તેમાં થોડાં અંશે તેઓ સફળ પણ થયાં. જોતજોતામાં સમય નીકળી ગયો. શિકારીને ઘેર પાછાં ફરવાનો સમય થઈ ગયો. એક પક્ષી બીજા પક્ષીને કહે છે.' ચાલ રસ્તો થઈ ગયો છે, નીકળી જઈએ.'પણ એક પક્ષી તેને સમજાવે છે. આપણે આવી છેતરપિંડી ના કરાય.તે પક્ષીમા સાધુતા હતી.જેને નીકળી જવાનો વિચાર આવતો હતો તે અસાધુતા હતી.સાધુ જીવન સમૃદ્ધ કરી અસુખનુ શમન કરે.
  હું ઘણી વખત અગાઉ પણ કહી ચૂક્યો છું કે સૌ સાથે પ્રમાણિક ડીસ્ટન્સ જાળવીએ. જે હું કરી પણ રહ્યો છું. આ સમયમાં આપને અનુકૂળ એની પ્રવૃત્તિ કરતાં રહો.સંગીત,કાવ્ય, સાહિત્ય વાંચન જે જે વસ્તુ આપણને અનુકૂળ હોય તે કરો. પરંતુ સરકારશ્રીના નિયમો,સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીએ. સાંપ્રત સમયે દાતાઓ સમેત જેમણે પણ પોતાની યથાસંભવ સેવા કરી છે. તે બધા જ શુભેચ્છાના અધિકારી છે સૌને તે બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. સૌનું કલ્યાણ થાય.
જય સીયારામ
તા ૨૮-૩-૨૦

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

"ઈચ્છા ને પરમાત્મા સામર્થ્ય સાથે જોડો"
સંકલન- તખુભાઈ સાંડસુર
ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાનના છઠ્ઠા દિવસે આપ સૌને પ્રણામ્ શ્રીમદ્ ભાગવતના ચોથા અધ્યાયનો એક શ્લોક-મંત્ર છે
"દ્રવ્ય યજ્ઞા,તપો યજ્ઞા,યોગ યજ્ઞાચ્ તથાપરે,
 સ્વાધ્યાય,જ્ઞાનયજ્ઞાયચ્ યતઃ શસંતિય રતાઃ"
અર્થાત્ ભગવદ ગીતાના આ શ્લોકનું ભાષ્ય છે કે પાંચ પ્રકારના યજ્ઞ, કોઈ તેને ચાર પણ કહે છે પણ હું તેને પાંચ પ્રકાર કહીશ. દ્રવ્ય, તપ, યોગ, સ્વાધ્યાય અને પાંચમો જ્ઞાન યજ્ઞ. તિક્ષ્ણ વ્રતો સાથે યતિગણ આ યજ્ઞ કરે છે .આજના સંદર્ભમાં વ્યક્તિગત આંતરરાષ્ટ્રીય, જીવનમાં આ પાંચ યજ્ઞ ચાલી રહ્યાં છે.જે ચાલે છે તેને ગતિ આપો અને જેણે શરૂ નથી કર્યા તે કરે. આવો,આપણે સૌ તેનાથી પરિણામ સુધી પહોંચશુ.
   દ્રવ્ય યજ્ઞ જે સ્થૂળ રૂપમાં ચાલે છે તે સરાહનીય છે. મારાં માટે નહીં બધા માટે છે સ્વાહા કરવા.. વાહ વાહ કરવા નહીં. ધર્મ થી શરૂ કરીને ઉદ્યોગ સુધીના સૌ કોઇ જે જરૂરિયાતમંદ લોકોની સેવામાં જોડાઈ ગયાં છે. એટલું જ નહીં બીજી વિવિધ પ્રકારની સેવાઓ માં જે જોતરાયેલા છે તેમને ખૂબ ખૂબ સાધુઆત.
     બુદ્ધુ પુરુષોના વચનથી બળ મળે છે. વિચાર માત્રથી ન પહોંચી શકાય વિશ્વાસ પણ કરતાં રહીએ. તે આગળ નીકળી જાય પુષ્ટિમાર્ગ કહે છે કે" ભરોસો દઢ્ ચરનન કેરો."વિચાર યાત્રા કરે પણ શ્રદ્ધા ન કરે.શિવ બેસી ગયા તર્ક-વિતર્ક છોડી દીધો તેથી તે મુકામ સુધી પહોંચી ગયાં. સંત દાદુ કહે છે' રામનામ મન નીજ ઔષધિ કોટી કોટી. વિચાર, વિષય, વ્યાધિ વ્યાપે ઉબ રહી કાયા કંચન સાર.'ભીતરની ઔષધી કોટી કોટી વિકારને કાઢી નાખે. દુનિયાના ઘણાં દેશોમાં લોકડાઉનથી તપયજ્ઞ પણ ચાલી રહ્યો છે. રામરાજ્ય આવ્યું ત્યારે પણ રોગ, શોક અને ભયનો નાશ થયો હતો.
       યોગ ત્રીજો યજ્ઞ છે. તેના ત્રણ પ્રકાર છે વિયોગ, સ્થિર -સંયોગનો યોગ અને ત્રીજો ક્ષમતા પ્રમાણેનો ઉપયોગ. આ પ્રકારના સંકટોનું એક કારણ જડનો ઉપયોગ કરવો જોઈએ અને ચૈતન્ય સાથે પ્રેમ કરવો જોઈએ ,પરંતુ આજે તેનાથી ઊલટું થઈ રહ્યું છે. જડ સંસાધન, દ્રવ્ય-ભૌતિક સાધનો વગેરે સાથે મોહ છે.સજીવ વ્યક્તિઓ સાથે નથી.
    જ્ઞાન યજ્ઞ છે. તેથી સાંપ્રત સમય અધ્યયનનો સમય છે .તે પણ એક યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ અને સ્વાધ્યાય બંને એમ તો એક જ છે. પરંતુ તેમાં થોડો ભેદ છે. સ્વ અધ્યયન એટલે સ્વાધ્યાય. જ્યારે જ્ઞાન એટલે એમા માહિતી પણ આવી જાય. કોઈ મુમુક્ષુને પૂછેલું કે ઇન્ફર્મેશન અને નોલેજમાં શું તફાવત મેં જવાબ વાળેલો કે માહિતી એ માર્ગ છે અને જ્ઞાન એ મંઝિલ છે.આમ સ્વાધ્યાય અને જ્ઞાન પણ ચાલી રહ્યું છે. વિનય પત્રિકા કહે છે સૂર્ય પરમાત્માની આંખ છે જ્યારે ચંદ્ર મન છે. તે પરમાત્માથી વિમૂખ થયાં માટે ભટકી રહ્યાં છે. ઈચ્છા અને પરમાત્માનું સામર્થ્ય જો જોડાઈ જાય તો પરિણામ સુધી સરળતાથી પહોંચી શકાય.
    આજની હરિકથા શ્રી શોભિતભાઈ દેસાઇના એક લેખમાંથી મળી છે. એક ભિખારી એક મંદિર પાસે રોજ ઊભો રહેતો. કૃષ્ણ અને અર્જુન તેને મળે છે .અર્જુન તેને ભિક્ષામાં ઘણું બધું દ્રવ્ય આપે છે. ભિખારી રાજી થઈને ઘર તરફ જઈ રહ્યો છે્ ને કોઈ ઠગ એ બધુ લૂંટી જાય છે .ભિખારી પોતાની પત્નીને ઘરે જઈને આ વાત કરે છે. તે તેના માટે શોક ન કરવા જણાવે છે .ફરી ભિક્ષા માટે તે કટીબદ્ધ થઇ પહોંચે છે. બીજા દિવસે ફરી ભીખારીને આવેલો જોઈને અર્જુન તેને એક મોટો હીરો આપે છે,  જે તે પોતાના ઘરે જઈ અવાવરૂં માટલામાં મૂકી દે છે .તેની પત્ની તે માટલું લઈ કૂવામાં પાણી ભરવા જાય છે. ત્યારે હીરો તેમાંથી નીકળીને પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભિખારી ફરી ખૂબ દુઃખી થાય છે.  ફરી પાછો ભીખ માંગવા જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે 'કોઈને આપવાથી પદાર્થ આપી શકાય, પ્રારબ્ધ નહીં. કૃષ્ણ ભગવાન તેને બે પૈસા આપે છે. એક માછીમાર ભિખારીને સામે મળે છે. માછીમારની માછલી છોડી દેવાં માટે ભિખારી તેને બે પૈસા આપી દે છે. માછલી જેવી કૂવામાં નાખવામાં આવે છે એટલે અંદર ગયેલો હીરો બહાર આવે છે.હીરો લઈને જ્યારે તે ઘર તરફ જઈ રહ્યો છે. ત્યારે પેલો ઠગ પોતે પકડાઈ જવાની બીકે તે દ્રવ્ય પણ તેને આપી દે છે. આમ તેને બધું પ્રાપ્ત થાય છે. પણ તે ક્યારે પ્રારબ્ધથી જ.કૃષ્ણ ભગવાન પ્રારબ્ધનું મહત્ત્વ સમજાવે છે. જો બોલે સો હરિ કથા. આજ બસ આટલું જ.
 જય સીયારામ.
તા.૩૦-૩-૨૦





No comments:

Post a Comment