Saturday, March 28, 2020

27-28 march 50 Hari katha moraribapu

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

સંકલન- તખુભાઈ સાંડસુર

માની આરાધનાનો આજે બીજો દિવસ અને ૨૧ દિવસિય  અનુષ્ઠાનનો પણ આજે બીજો દિવસ.રાવણના નિર્વૉણ માટે ભગવાન શ્રીરામે 31 બાણ માર્યા હતાં.  ૩૧મુ બાણ જ્યારે તેની નાભીમાં માર્યુ ત્યારે તેનું નિર્વાણ થયું. સાંપ્રત સમયમાં આપણે આ મહામારી માટે 21 બાણ મારવાનાં છે. તે આપણાં અનુષ્ઠાનથી આપણી તેની સામે જીતીશું.
રામાયણ માં કહેવાયું છે
"તપબલ રસઈ પ્રપંચ વિધાતા,તપબલ બીષ્નું સકલ જગ ત્રાતા. તપબલ શંભુ કરહી સુધારા, તપબલ શેષ ધરહી મહીભારા."
માનસકાર બળથી સૃષ્ટિનું નિર્માણ થાય છે તેમ જણાવે છે. બ્રહ્મા નિર્માણનું,પાલનનુ કામ વિષ્ણુ અને નિવૉણનું કામ ભગવાન શિવ કરે છે .પણ તે બધું તપ બળથી. નિર્માણ પાલન અને નિર્માણ બધામાં તપનું ફળ જોઈએ.આરોગ્યની નવી સૃષ્ટિ પેદા કરવી છે. તેથી બ્રહ્માજીએ તપ કરવું પડશે.તપના પ્રભાવથી ત્રણ વસ્તુ આવે. તપના ત્રણ પ્રકાર છે રાજસી તપ, સાત્વિક,તામસી તપ. આજે સાત્વિક તપની જરુર છે. તેનાથી ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય પ્રમાણિકતાની સૃષ્ટિ ,પ્રમાણિકતાનું પરિપાલન અને પ્રસન્નતા. જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કહે છે.
"પ્રસન્ન ચિત્તે પરમાત્મ્દર્શન"
પ્રસન્નતાની બાધા છે કક્ષાથી વધુ અપેક્ષા. એક હરિ કથા છે .બે ભાઈઓ હતાં એક ભાઈ પ્રમાણિક અને બીજો ખૂબ પુરુષાર્થી. તેથી તે ખૂબ આગળ. પુરુષાર્થી ભાઈ પ્રમાણિક ભાઈને સતત મેણાં ટોણાં માર્યા કરે. તેને પ્રમાદી હોવાનું જણાવતો રહે.અને પ્રમાણિક ભાઈ ઈશ્વરને સતત આ વાતની ફરિયાદ કરે. એક દિવસ દેવવાણી થાય. દેવવાણી એ કહ્યું કે "હું તને એક ઘંટી આપું છું તું જેટલી ઘુમાવીશ એટલું તું માંગે તે બધું મળશે. જેટલી ઘંટી ઘુમાવી એટલુ બધુ આ ભાઈને મળવા લાગ્યું. જોતજોતામાં એક રહીશ ખાનદાનમાં તે ગણતરી થવા લાગ્યો. પેલા પુરુષાર્થી ભાઈને તેનો દ્વેષ થયો.તેણે વિચાર્યું આ કંઈ કરતો નથી અને આ બધું આવે છે ક્યાંથી ? એક દિવસ તેણે જોયું તો પ્રમાણિક ભાઈ ઘંટી ઘુમાવતો હતો. અને તેમાંથી તેને બધું મળતું હતું. પુરુષાર્થી ભાઈની મતિ બગડી તેને ઘંટી ચોરી લેવાનું વિચાર્યું .પણ ચોરીને લઈ જવી કેમ ?તેણે વિચાર્યું કે હું તેને સમંદરમાં લઈ જાવ..! એક દિવસ એ ચોરી કરીને નૌકામા ઘંટી લઇ નીકળી પડ્યો. સમુંદરના મધદરિયે બધુ માંગવા માંડ્યો. તેની અપેક્ષા વધતી જ ગઈ ખૂબ જ માગ્યૂ. ખૂબ સંપત્તિ મેળવી પછી બધું ખાધા પીધા પછી તેને થયું હવે મારે મીઠાઈની જરૂર નથી. હું થોડું ખારું મેળવું અને તેણે નમકીન મેળવવા ઘંટી ઘૂમાવી.નમકીન આવવા લાગ્યું. આખી નૌકા નમકીનથી છલકાઈ ગઈ અને આખરે તે ડૂબી ગઈ. આ ઉદાહરણ બતાવે છે કે આપણી અપેક્ષાઓ જ આપણને વિસર્જીત કરે છે. ત્યારથી સાગર ખારો થયો.
 તપથી પ્રમાણિક સ્રૃષ્ટી નિર્મિત થશે.મા જાનકીએ પણ સીમામાં જ વરદાન માંગ્યું હતું.સૌનુ મંગલ થાય.સૌ પ્રસન્ન રહો બાપ..!
જયસીરામ
૨૬-૩-૨૦

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

સંકલન- તખુભાઈ સાંડસુર

ચૈત્રી નવરાત્રી અને રાષ્ટ્રીય અનુષ્ઠાન ચતુર્થ દિને આપ સૌને જય સીયારામ. સૂર્યનો તાપ અને તુલસી ઔષધી છે એટલું જ નહીં" ઔષધો જાહ્નવી તોયમ્"ગંગાજળ પણ ઔષધી છે. યોગવશિષ્ઠ રામાયણ કહે છે, કે દારિદ્ર ,મરણ, ભ્રમ ઇત્યાદિ ઘણાં પ્રશમન માટે સાધુસંગ પણ ઔષધી છે. સાધુ એટલે કોણ ?  વ્યક્તિપૂજા કે વેશપૂજાની વાત નથી. પરંતુ ભારતના ઋષિઓએ જે ઔષધિઓ બતાવી તેમાં સાધુ સંગની જે વાત કરી.સાધુ વિચાર છે, સાધુ વિચાર છે, વ્યવહાર છે ,સાધુ કરણીની પૂજા છે. રામાયણ જણાવે છે.
"પ્રથમ ભક્તિ સંતન કરન સંગ
દુસરી રતી મમ કથા પ્રસંગા,
સંત્ સંગતી દુર્લભ સંસારા
નિમિત્તે દંડ એક ભરી બારા."
ભૂરો રંગ વિશાળતા, લાલ રંગ વીરતા,લીલો રંગ સમૃદ્ધિ, પીળો પવિત્રતા ,કાળો ઉદાસીનતા અને સફેદ શાંતિનો રંગ છે. એટલે કે જેનામાં વિશાળતા , અસિમતા ,વીરતા ,આતંર સમૃદ્ધિ, પવિત્રતા ,એકાંત ઉદાસી છતાં પણ શાંતિ એવો વિશ્વમાનવ .જેમાં આ બધું સમાહિત થયેલું છે. "કનક ભુધરા શરિરા" હનુમાનજી માટે કહેવાયું છે ,તેથી તે સાધુ છે. શાંતિ પમાડે ,શાંતિમાં ડૂબેલાં રહે,શાંત સ્વરૂપ હોય એવો કોઈ બુદ્ધપુરુષ સાધુ છે. પણ આ બુદ્ધ પુરુષને શોધવા ક્યાં? વિનયપત્રિકા કહે છે કે તમારાં પોતાનો પરિચય -જેમાં તમને નિરંતર શાંતિ દેખાય ,જે આત્મવિચારમાં ડૂબેલો છે, પરમાત્મામાં ડૂબેલો છે. પરિસ્થિતિ આવે તેમાં તે સંતુષ્ટ રહે છે ."સંત સંગતિ ચારી દઢ્ કરી" શાંતિ, સંતોષ, બ્રહ્મ વિચારણા , સાધુનું સતત સેવન થતું હોય તે સાધુ પુરુષ બીમારીમાંથી મુક્ત કરે.
એક હરી કથા છે. સતીષ વ્યાસજીએ બિહારના બાબુલજી પરથી લખેલી છે. બે પક્ષી ખપાટ ના પિંજરામાં કેદ હતાં. શિકારીની સાથે રહીને તેની રહન-સહન અને ભાષા તેઓ સારી રીતે સમજી ગયાં હતાં. શિકારી ક્યારે બહાર જાય છે. શું બોલે છે,તેની તેને ખબર હતી. બપોરના સમયે જ્યારે શિકારી બહાર જાય. ત્યારે બંને પક્ષીઓએ બાંધેલી ખપાટના દોરાને તોડીને બહાર નીકળવાનો મનસુબો કર્યો. તેમાં થોડાં અંશે તેઓ સફળ પણ થયાં. જોતજોતામાં સમય નીકળી ગયો. શિકારીને ઘેર પાછાં ફરવાનો સમય થઈ ગયો. એક પક્ષી બીજા પક્ષીને કહે છે.' ચાલ રસ્તો થઈ ગયો છે, નીકળી જઈએ.'પણ એક પક્ષી તેને સમજાવે છે. આપણે આવી છેતરપિંડી ના કરાય.તે પક્ષીમા સાધુતા હતી.જેને નીકળી જવાનો વિચાર આવતો હતો તે અસાધુતા હતી.સાધુ જીવન સમૃદ્ધ કરી અસુખનુ શમન કરે.
  હું ઘણી વખત અગાઉ પણ કહી ચૂક્યો છું કે સૌ સાથે પ્રમાણિક ડીસ્ટન્સ જાળવીએ. જે હું કરી પણ રહ્યો છું. આ સમયમાં આપને અનુકૂળ એની પ્રવૃત્તિ કરતાં રહો.સંગીત,કાવ્ય, સાહિત્ય વાંચન જે જે વસ્તુ આપણને અનુકૂળ હોય તે કરો. પરંતુ સરકારશ્રીના નિયમો,સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીએ. સાંપ્રત સમયે દાતાઓ સમેત જેમણે પણ પોતાની યથાસંભવ સેવા કરી છે. તે બધા જ શુભેચ્છાના અધિકારી છે સૌને તે બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. સૌનું કલ્યાણ થાય.
જય સીયારામ
તા ૨૮-૩-૨૦


No comments:

Post a Comment