Saturday, March 28, 2020

Ta 25-26 march 20 harikatha

"હરિકથા" પુ. મોરારીબાપુના શ્રી મુખેથી

 સંકલન -  તખુભાઈ સાંડસુર

આપણાં પ્રધાનમંત્રીશ્રીએ આપેલું ૨૧ દિવસનું લોકડાઉન એક અનુષ્ઠાન છે. પૂરી પ્રમાણિકતાથી તેમાં આપણે સહયોગ કરીએ.અરણ્યકાંડ કહે છે
" ધીરજ ધર્મ મિત્ર અરુ નારી
આપાતકાલ પરીખે ઈ ચારી "
અનસુયા માતાનું આ કથન આપદ્ કાળમાં ખૂબ સાર્થક છે .આપદ્દ્કાળ ચાલી રહ્યો છે. રાષ્ટ્ર અને વિશ્વ સામે એક મહા સંકટ ઊભું થયું છે. રામચરિતમાનસ ઉપર સંવાદ કરીએ. હું આપને નિવેદન કરવું કરું છું કે "ડરવું નહીં પણ ગંભીરતાથી ધૈર્ય રાખી પરમતત્વમાં ભરોસો રાખીએ.ભીતરથી ઉદભવેલું ધૈર્ય એટલે સત્ય પ્રેમ અને કરૂણાં આ ત્રણની કસોટી પણ મુશ્કેલ સમયમાં થાય છે.
સૌથી મોટો મિત્ર પરમાત્મા છે અર્જુનની સાથે સખ્ય કર્યું હોય તો આપણી સાથે પણ કેમ ન કરે ? જો આપણાંમાં અર્જુન હોય.! તો તે યથા માત્રા તથા સંભવ હોવું ઘટે.પરમાત્મા સુખમાં પણ છે અને દુઃખમા પણ સાથે છે. વિપત્તિ આવે ત્યારે આપણે એ પણ સમજવું, માનવું ભગવાન કૃષ્ણ આપણી સાથે છે. આ સત્યને કેટલું નિભાવી શકીએ છીએ તેની આજે કસોટી છે.
માતૃશક્તિ માત્ર શરીરથી નહીં પણ આપણી અંદર રહેલી ઉર્જા "યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, દયા રૂપેણ સંસ્થિતા, હું તો એમ કહું અહિંસા રૂપેણ સંસ્થિતા 'સત્ય પ્રેમ અને કરુણા વાળા ધીરજની કસોટી છે. ત્યારે આપણે આપણી ઊર્જામાં અને તેની આરાધનામાં ખરા ઉતરીએ.
તમારી સાથે યથા સંભવ ગુરુકૃપાથી સંવાદ કરવો છે. એક ગુરુ હતાં તેમને એક શિષ્ય હતો એક બીજા શિષ્યને તે પ્રથમ શિષ્યે પૂછ્યું કે તને તારાં ગુરુજીએ સાધનાનો કયો માર્ગ બતાવ્યો? ત્યારે શિષ્ય જવાબ આપે છે .' મને ગુરુજી  સૌ પ્રથમ એક કુવામાં ઊતરવા કહ્યું અને પછી મને તેમાં નિસરણી નાખીને બહાર નીકળવા જણાવ્યું. હું બહાર આવી ગયો. એક મહિનો ચાલ્યા પછી બીજો મહિનો આવ્યો. પછી તેમણે મને ફરી કુવામાં ઉતારીને એક ગાંઠ વાળો રસ્સો આપ્યો. હું સફળતાપૂર્વકએ ગાંઠવાળા રસ્સાથી કૂવામાંથી બહાર આવ્યો. ત્રીજા મહિને કૂવામાંથી બહાર નીકળવા મને ગાંઠ વગરનો રસ્સો આપવામાં આવ્યો. તે પરીક્ષામાં પણ હું સફળ રહ્યો .ચોથા મહિને મને કોઈ રસ્સો કે નિસરણી આપવામાં ન આવી તો પણ હું સફળ રીતે કૂવામાંથી બહાર નીકળી આવ્યો. અને છેલ્લે જ્યારે ગુરુજીએ કહ્યું હવે તું કૂવામાં ઉત્તર અને બહાર નીકળી આવ તો મેં કહ્યું કે કૂવો જ  ક્યાં છે. એમ કોઈપણ સાધના- આરાધના મુશ્કેલીઓને આપત્તિઓને આસન બનાવવાનું અને ધૈર્ય રાખવાનું શીખવે છે. આજે આ સંકટની સીડીમાંથી વિવિધ પ્રકારની ગ્રંથિઓ વાળી રસ્સી છોડીને આપણે બહાર આવીએ.તેવી શ્રદ્ધા છે .
'તેન પરહી ભવ કુપ'
સંયમની બહુ જરૂર છે. તે આપણને સારી રીતે પ્રાપ્ત થાય. આ નવરાત્રિમાં આપણે  નીજ થી નિખિલ સુધી અને પીંડ થી બ્રહ્માંડ સુધી આપોઆપ બહાર આવીએ. જે બોલીએ તે બધી હરિ કથા છે .આપ સૌ પ્રસન્ન રહો, હસતાં રહો કારણ કે આપણે હિન્દુસ્તાનમાં છીએ." સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા" જયસિયારામ
તા ૨૫-૩-૨૦

હરિ કથા પુ.મોરારીબાપુના શ્રીમુખેથી

અધિક અપેક્ષા આપણને વિસર્જીત કરે..
લે.મોરારિબાપુ
આજની કથામાં વાત તરફ લક્ષ આપવું જોઈએ. વ્યાસ અને દ્રુપદજી નો સંવાદ છે. તેમાં વ્યાસજી એ કહ્યું "જીવન વિશાળ જ્ઞાન માટે પર્યાપ્ત છે. તેથી ત્રૃષ્ણા એ સંયમિત હોવી જૉઇએ.ક્રૃષ્ણ તારું નામ તૃષ્ણા હોવું જોઈએ.જો તૃષ્ણાની સીમા નહોય તો જીવન ખારું થઈ જાય.

                માની આરાધનાનો આજે બીજો દિવસ અને ૨૧ દિવસિય  અનુષ્ઠાનનો પણ આજે બીજો દિવસ.રાવણના નિર્વૉણ માટે ભગવાન શ્રીરામે 31 બાણ માર્યા હતાં.  ૩૧મુ બાણ જ્યારે તેની નાભીમાં માર્યુ ત્યારે તેનું નિર્વાણ થયું. સાંપ્રત સમયમાં આપણે આ મહામારી માટે 21 બાણ મારવાનાં છે. તે આપણાં અનુષ્ઠાનથી આપણી તેની સામે જીતીશું.
રામાયણ માં કહેવાયું છે
"તપબલ રસઈ પ્રપંચ વિધાતા,તપબલ બીષ્નું સકલ જગ ત્રાતા. તપબલ શંભુ કરહી સુધારા, તપબલ શેષ ધરહી મહીભારા."
માનસકાર બળથી સૃષ્ટિનું નિર્માણ થાય છે તેમ જણાવે છે. બ્રહ્મા નિર્માણનું,પાલનનુ કામ વિષ્ણુ અને નિવૉણનું કામ ભગવાન શિવ કરે છે .પણ તે બધું તપ બળથી. નિર્માણ પાલન અને નિર્માણ બધામાં તપનું ફળ જોઈએ.આરોગ્યની નવી સૃષ્ટિ પેદા કરવી છે. તેથી બ્રહ્માજીએ તપ કરવું પડશે.તપના પ્રભાવથી ત્રણ વસ્તુ આવે. તપના ત્રણ પ્રકાર છે રાજસી તપ, સાત્વિક,તામસી તપ. આજે સાત્વિક તપની જરુર છે. તેનાથી ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય પ્રમાણિકતાની સૃષ્ટિ ,પ્રમાણિકતાનું પરિપાલન અને પ્રસન્નતા. જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કહે છે.
"પ્રસન્ન ચિત્તે પરમાત્મ્દર્શન"
પ્રસન્નતાની બાધા છે કક્ષાથી વધુ અપેક્ષા. એક હરિ કથા છે .બે ભાઈઓ હતાં એક ભાઈ પ્રમાણિક અને બીજો ખૂબ પુરુષાર્થી. તેથી તે ખૂબ આગળ. પુરુષાર્થી ભાઈ પ્રમાણિક ભાઈને સતત મેણાં ટોણાં માર્યા કરે. તેને પ્રમાદી હોવાનું જણાવતો રહે.અને પ્રમાણિક ભાઈ ઈશ્વરને સતત આ વાતની ફરિયાદ કરે. એક દિવસ દેવવાણી થાય. દેવવાણી એ કહ્યું કે "હું તને એક ઘંટી આપું છું તું જેટલી ઘુમાવીશ એટલું તું માંગે તે બધું મળશે. જેટલી ઘંટી ઘુમાવી એટલુ બધુ આ ભાઈને મળવા લાગ્યું. જોતજોતામાં એક રહીશ ખાનદાનમાં તે ગણતરી થવા લાગ્યો. પેલા પુરુષાર્થી ભાઈને તેનો દ્વેષ થયો.તેણે વિચાર્યું આ કંઈ કરતો નથી અને આ બધું આવે છે ક્યાંથી ? એક દિવસ તેણે જોયું તો પ્રમાણિક ભાઈ ઘંટી ઘુમાવતો હતો. અને તેમાંથી તેને બધું મળતું હતું. પુરુષાર્થી ભાઈની મતિ બગડી તેને ઘંટી ચોરી લેવાનું વિચાર્યું .પણ ચોરીને લઈ જવી કેમ ?તેણે વિચાર્યું કે હું તેને સમંદરમાં લઈ જાવ..! એક દિવસ એ ચોરી કરીને નૌકામા ઘંટી લઇ નીકળી પડ્યો. સમુંદરના મધદરિયે બધુ માંગવા માંડ્યો. તેની અપેક્ષા વધતી જ ગઈ ખૂબ જ માગ્યૂ. ખૂબ સંપત્તિ મેળવી પછી બધું ખાધા પીધા પછી તેને થયું હવે મારે મીઠાઈની જરૂર નથી. હું થોડું ખારું મેળવું અને તેણે નમકીન મેળવવા ઘંટી ઘૂમાવી.નમકીન આવવા લાગ્યું. આખી નૌકા નમકીનથી છલકાઈ ગઈ અને આખરે તે ડૂબી ગઈ. આ ઉદાહરણ બતાવે છે કે આપણી અપેક્ષાઓ જ આપણને વિસર્જીત કરે છે. ત્યારથી સાગર ખારો થયો.
 તપથી પ્રમાણિક સ્રૃષ્ટી નિર્મિત થશે.મા જાનકીએ પણ સીમામાં જ વરદાન માંગ્યું હતું.સૌનુ મંગલ થાય.સૌ પ્રસન્ન રહો બાપ..!
જયસીરામ
સંકલન- તખુભાઈ સાંડસુર

No comments:

Post a Comment