Saturday, November 24, 2018



માનસ ત્રિભુવન દિવસ નવમોતારીખ 4-11- 2018
 આઈ એ હનુમંત કહુ અને બધું શાંત :પૂજ્ય મોરારીબાપુ
માનસ ત્રિભુવનના અંતિમ ચરણે જીતુ વાઘાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ :કથાનું સુપેરે સમાપન
માનસ ત્રિભુવન રામ કથા ન તો પુ મોરારીબાપુ માટે બલ્કે સમગ્ર ભાવજગત માટે એક મહત્વનો મુકામ હતી.તેમાં મહુવાની અશાંત પરિસ્થિતિ સૌના મન ઉચક કરેલા હતા. તોપણ પૂજ્ય બાપુ નો ભરોસો એક એવા મહાન તત્વ સાથે જોડાયેલો હતો કે જેમાં તેઓશ્રીને આફતમાં કે શાતા મા સાદ પાડે અને બધું સમુસુતરું થઈ જાય .એવો જ એક ચમત્કાર તલગાજરડા ની કથામા સૌને થયો.પ્રથમ દિવસથી જ લગભગ મહુવાની સમરસતા સૌને એક અલૌકિક વિચાર જગતમા લઈ ગઈ. સૌને લાગ્યું કે આવું પણ હોય.
નવમા દિવસની અંતિમ બિંદુની કથા મા પૂજ્ય બાપુ એ જણાવ્યું, આવો જ સદભાવ અને એકતા ટકી રહેવા જોઈએ. જનકપુર રામ મય બને છે. વાટીકામાં જાનકીને રામ નું મિલન થાય છે. બંને વિવેક ના અજવાળા માં મર્યાદા ના પ્રકાશ મળે છે. બંને એક બીજા નાહ્રદયમા ર્પ્રવેશ કરે છે .જાનકી પ્રેમ અને આદરથી મા ભવાની ની સ્તુતિ કરે છે.સ્વયંવર એક જ નથી થયો .દમયંતી ,વિશ્વ મોહિની.ઇન્દુમતી અને દ્વાપરમાં દ્રોપદીનો સ્વયંવર પણ થયો. અત્યારે તો  બધે જ..
        જનક ના શબ્દો લક્ષ્મણજીને ખૂબ લાગી આવે છે.વિશ્વામિત્ર જનકના સંતાપને મિટાવવા રામને શિવ ધનુષ તોડવાની આજ્ઞા કરે છે. પરમાત્મા જ્યારે કૃપા કરે તો પ્રતિષ્ઠા આપે અને ત્યારે સાધકે અભિમાન ન કરવું ,મેરુ જેટલી નિંદા થાય તો પણ  ભજનનો છોડો .ભક્તિની ગાડી એવી રીતે ચલાવવી કે અકસ્માત ન થાય.
રામજી એ શિવ ધનુષ  મધ્યમાથી તોડે છે. પરશુરામ નું આગમન, રામ સાથેનો તેમનો સંવાદ અને પછી પરશુરામજી ની વિદાય .ચારે ભાઈઓ જનકપુરી થી વિદાય ચારે કુંવરી ઓ સાથે લગ્ન કરી ગમન કરે છે. ત્યાં બાલકાંડ વિરામ પામે છે.  રામ ભરત  મિલન અને ત્યાં યુદ્ધ વિરામ પામે છે. સીતા હરણ એ જ રીતે અરણ્યકાંડમાં પંચવટી નિવાસ, શૂર્પણખા કથા, સીતા હરણ રામલીલા પછી પંચવટી છોડ્યા પછી રામજી સૌથી પહેલા પહેલા જટાયુ પછી ને મળે છે નારદ બાદમાં હનુમાનજી અને છેલ્લે સુગ્રીવ આમાં પાચ પાત્રો રામાયણમાં મહત્વના છે .
       પરમાત્માના પાંચ વિગ્રહો છે પાંચે રૂપ નો પરિચય રામ પંચવટીમા છોડ્યા પછી કરાવે અને તે ત્રિભુવન ગુરુના પાંચ વિગ્રહો છે.
આ રીતે લંકાકાંડ ના સમાપન પછી પુજ્ય બાપુએ તલગાજરડામાં દશમી કથાને વિરામ આપ્યો.
--- ---આજનુ કથા વિશેષ-----
----આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિ હતી.
-----મહુવા ની સામાજિક સંસ્થાઓએ યજમાન હરિભાઈ વિશેષ સન્માન કર્યું હતું
-----યજમાન પરિવાર વતી શ્રી દર્શનભાઈ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
 ------સમગ્ર કથાના સંપૂર્ણ સફળતા ના આયોજન સૌને પ્રભાવિત કર્યા હતા
--જય સીયારામ




No comments:

Post a Comment