Wednesday, November 7, 2018





માનસ ત્રિભુવન કથા દિવસ- સાતમો   તારીખ- 2-11- 2018 
પરમ તત્વને ભૂત -ભવિષ્ય ન હોય હંમેશા વતૅમાન જ હોય: પૂજ્ય મોરારીબાપુ
'બાપુના વિદ્યાગુરુ જગનાથ દાદાની આજે થઈ ભાવવંદના'
સાતમા દિવસની કથા વિદ્યા જગત અને શિક્ષણ જગત ના સારથિ શિક્ષકોને નામે અંકિત થઈ તેમ કહીએ તો કંઇ ખોટું નથી. કારણ કે આજે પૂજ્ય બાપુના વિદ્યાગુરુ અને તેમના પિતાજીના અનન્ય મિત્ર પૂજ્ય જગન્નાથદાદાની વ્યાસપીઠ પરથી ભાવ વંદના કરવામાં આવી. શિક્ષકોના ઋણ સ્વીકાર ને યાદ કરી ને સ્મૃતિ વાગોળતા બાપુએ જણાવ્યું કે મને દાદાએ કદી માર્યો નથી તેના કારણમાં દાદા કહેલું કે તમે કોઈ તોફાન કર્યું હોય તો હું શિક્ષા કરું ને?
    ત્રિભુવન તીર્થની ત્રિવેણી ત્રિભુવન તીર્થની ત્રિવેણી ભાગીરથી ગંગા ને વહાવતા પૂજ્ય બાપુએ કહ્યું કે અહીંનો પ્રવાહ જગ કલ્યાણ ,જન કલ્યાણ અને જીવ કલ્યાણ માટે પ્રવાહિત થાય છે ,અને રહેશે કથા ગંગાના પાંચ કર્મોને મહત્વના ગણાવ્યા હતા. પેલું વક્તા ની સભાનતા, બીજું આયોજકોનો અહંકાર, ત્રીજું સ્વયંસેવકોનું શીલ અને શ્રોતાઓનુ શીલ,મડંપ વ્યવસ્થાપકની સજાગતા આ બધું  સત્કર્મ ને નિષ્ફળ થવા કારણરૂપ બને. તલગાજરડાએ  કથા પછી પાંચ કામ કરવાના છે .ઘરમાં હનુમાન ચાલીસા, કાગભુષંડી રામાયણ ,રુદ્રાષ્ટકનો પાઠ ,ખોટી રાજનીતિ કિનારો કરવો, વિકાસમાં સૌનો સહયોગ .મહૂવા પણ તેને અનુસરે.
        વ્યાસપીઠ પર જ્યારે હું બેસું છું તો દાદાની કૃપાથી નાયગ્રાનો ધોધ આવે છે ભગવાન રામે રાવણને માર્યો નથી પણ તાય્રૉ છે ,રામ કોઈને મારે નહીં. રામ સાધુ છે મારે નહીં .શ્રાપ આપે તો તેનું સાધુ પણ ખંડિત થઈ જાય. સાધુ નો આર્તનાદ કદી બદદુઆનો ન હોય.જે બાણ હતું તેના  ફણા પર કાળ હતો .ફણીશ એટલે લક્ષ્મણ તેથી લક્ષ્મણજીએ તેને માર્યો છે. જ્યારે પુષ્પક વિમાનમાં બેસીને રામજી પરત આવી રહ્યા છે ત્યારે રામ રાવણ, કુંભકર્ણ ના મૃત્યુ સ્થળ બતાવે છે, પણ મારનારની વાત કરતા નથી .પરામ્બાએ બાણ પર બેસીને રાવણને માર્યો છે.તલગાજરડાના રામજી મંદિરમાં રામજી પાસેથી હથિયારો લઇ લીધાતે અસ્તિત્વનો સંકલ્પ છે .ધર્મ જગત તેની ટીકા કરે છે. પૂજ્ય બાપુએ દાદાના સાદગીના ઉદાહરણમાં કહ્યું કે, પોતાનો ખલતો પણ તેઓ પોતે જ ઉપાડતા.
          ભોગમાં રોગનો ભય હોય યોગમાં નહીં. કુળને પ્રતિષ્ઠા જવાનો ભય ન હોય .પ્રેમ ને રાજા નો ભય ન હોય .મૌન સાથે મુસ્કાન હોય એને દૈત્યનો ભય ના હોય. જેને રૂપ ન હોય તેને અવસ્થાનો ભય ન હોય. ભરોસા ને દુશ્મનો ભય ન હોય. શાસ્ત્રાજ્ઞ ને શાસ્ત્ર વિવાદનો ભય ન હોય.લાઓત્સેએ કહ્યું હતું મને હારવાનો ભય નથી કારણકે હું હારેલો છું મને કોઈ ઉઠાડી મૂકશે તેનો ભય નથી કારણકે હું છેલ્લે બેઠો છું. જે ગુણાતીત ગુરુ ના શરણે છે તેને ખલ(દૂષ્ટ) નો ભય નથી .બુધ્ધત્વ પ્રાપ્ત કરનારને ખલનો ભય નથી .જેની કાયા સ્મરણથી રચાય છે એને મરણનો ભય નથી .શંકર નુ મસ્તિષ્ક ઉપર નું ,હ્રદય વચ્ચેનું અને ચરણ નીચેનૂ લોક છે. પાર્વતીજીને મસ્તિષ્કમાં બ્રહ્મલોક હ્રદયમાં મૃત્યુલોકમાં અને ચરણમાં પાતાળ લોક દેખાયો છે. કાન ,નાક, આંખ, જીભ બધુ સત્યપરાયણ છે. જેમાં સત્ય છે તે બુદ્ધ પુરુષ છે. જેના હૃદયમાં પ્રેમ વહેતો હોય તે મૌન છે ગુરુની પાદુકા કરુણા નું પ્રતિક છે. તેથી તેના ચરણમાં કેવળ કરૂણા છે, તે ત્રિભુવન ગુરુ છે.
'પ્રભુ કરી કૃપા પાવર દિન્હી,સાદર ભરી સીસ ધરી તીન્હી.'
રામના જન્મ પછી એક મહિના સુધી અયોધ્યામાં રાત જ ન પડતી. જ્યાં રામ અવતરણ થાય ત્યાં મોહરાત્રી આવતી નથી. રામ રૂપ જગતગુરુ અવતરે ત્યાં અજવાળા જ હોય. બાળ રામ ને રમાડવા શિવજી જ્યોતિષ રૂપ લઈ કાગભુષંડી ને ચેલો બનાવે છે .આ અયોધ્યામાં જાય છે તલગાજરડીમા રસપૂર્ણ વણૅન છે વિદ્યા મોક્ષ આપે પણ પાખંડ ન હોય. જેના જપ કરનારને આરામ, વિશ્રામ, વિરામ અને અભી રામની પ્રાપ્તિ થાય એવા કૌશલ્યાનંદન નું નામ  વશિષ્ઠ રામ રાખે છે. જેનું સ્મરણથી શત્રુ બુદ્ધિનો નાશ થાય છે તે છે શત્રુઘ્ન, વિશ્વને ભરી દે તે ભરત ,તમામ લક્ષણો છે તે સુમિત્રાનંદન લક્ષ્મણ, રામને ભવાના ત્રણ વિધિવિધાન છે શોષણ ન કરવુ, શત્રુતા ન રાખવી, આધાર બની અને ટેકારૂપ થવું.
       પરિપૂર્ણ શ્રદ્ધા હોય તેવા બુદ્ધ પુરુષ ને પૂછીને સંકલ્પ કરવો ,અન્યથા વ્યાપક નુકશાન થઈ શકે. મારું કોઈ ગ્રુપ નથી વિશ્ર્વએ મારો પરિવાર છે. હું છેતરાવ છું તોપણ હું  ધારા ન ભૂલું. અભાવનો આનંદ ઓર હોય છે .સાધુનુ વર્ણ અને કૂળ ન હોય. શાલ થી કઈ ન થાય અંદર મશાલ હોય તો બધું થાય. વેદાંત અદ્વૈત છે પણ ગુરુએ શિષ્યમાં દ્વેત રહેવું જોઈએ. ભર્તુહરિ શતક કહે છે વૈરાગ્ય સિવાય ક્યાંય અભય નથી. પરંતત્વ હંમેશા વર્તમાનમાં હોય. 
       -----   --   -- આજના કથા ચિત્રો-----
--પુ. બાપુએ કહ્યું ,ભોજન વગર ભજન ના હોય તેથી ભારતના ધનપતિને હરિહર વગર ની કથા ન જ મળે.
--કમીજળા ના મહંત શ્રી જાનકીદાસ બાપુ, કોળીયાક ના જાનકીદાસ બાપુ , કુંઢેલીના રામકૃષ્ણ શાસ્ત્રીજી, એક્સ ડીજીપી. કુલદીપ શર્મા, હાસ્યકાર ધીરુભાઈ સરવૈયા વગેરે આજના  વિશેષ અતિથિઓ હતા.
--પૂજ્ય બાપુ ના વિચારો કોલમ સ્વરૂપે દૈનિકોમાં પ્રગટ થાય છે, તે પુસ્તક કલ્પવૃક્ષની બીજી આવૃત્તિ ની રૂષિકુમારોની હાજરીમાં લોકાર્પિત થઈ અને માનસ પાઠોનું રેકોર્ડિંગ કરેલી સીડી નું પણ લોકાર્પણ થયું.
---પૂજ્ય બાપુના પિતાશ્રીનું તેલ ચિત્ર તૈયાર કરનાર મુસ્લિમ યુવાનને આવતીકાલે તેમના લોકાર્પણ માટે નિમંત્રિત કરવામાં આવ્યા
---તખુભાઈ સાંડસુર વેળાવદર

No comments:

Post a Comment