Sunday, November 11, 2018




માનસ ત્રિભુવન દિવસ આઠમો :તારીખ 3 :11: 2018
"બુદ્ધ પુરુષની આજ્ઞા એ પ્રસાદ છે : પુ.મોરારી બાપુ"
"પત્રકારો દ્વારા પોથી વંદના: કાંતિ ભટ્ટ અને શાહબુદ્દીન ની હાજરી"
આઠમા દિવસની  કથાનું મંગલાચરણ કરતાં પહેલાં સંચાલકે કહ્યું કે થોડી માયુષી દેખાય છે કારણ કે હવે એક દિવસ બાકી છે. આ પ્રત્યુતરમાં પુ.બાપુએ કહ્યું,"મારે તમને બધાને હસતા છુટા કરવા છે. તુલસીનાં બાર ગ્રંથો છે પણ હું તેને ઉપનિષદ કહું છું ત્રિભુવન નો ડ્રેસ કોડ નથી. એ શ્વેતાંબર ,પીતાંબર,દિગંબર પણ હોઈ શકે. ડ્રેસ કે પેન્ટ માં પણ હોય. જે સત્કર્મ કરે તે ત્રિભુવન. જેની પાસે પોતાનું ધન હોય તેને આત્મચિંતન સગુણ લક્ષણ છે.  રાવણ પોતાના લક્ષણો કે સ્વભાવ બદલી શકતો નથી તે રજોગુણ છે .વિદ્વાનોની સભામાં કોઇ સાંભળતું નથી પણ સાધુ બોલે ત્યારે પક્ષીઓ પણ દાણો ચણવાનું ભૂલી જાય. રામ સાધુ છે જાળવી રાખે સૌ  સધર્મ ,એ ત્રિભુવન લક્ષણ છે. બુદ્ધપુરુષની આજ્ઞા એ પ્રસાદ છે. તેમના આશ્રયે હોઈએ ત્યારે જેની નકલ ન કરવી .ઓશોએ કહ્યું છે મોટા વડના બીજ જમીન પર પડે તો વડલો વિકસિત થતો નથી.બીજને દૂર કરી તું વિકસિત થા. બુદ્ધપુરુષોની આજ્ઞાનું ઉલ્લંધન ન કરવું અને એના પર સંદેહ ન કરવો .પ્રેમીઓના આઠ યોગ છે અષ્ટાંગ યોગ જુદો છે. ગોપીઓના યોગમાં બાળકોનું પાલન કરવું, ઘરનું ધ્યાન રાખવા સહિત ,કૃષ્ણ ની યાદમાં રડવું એ ગોપીઓનો પ્રેમ યોગ છે .તેની વાત કરતા પૂજ્યશ્રીએ કહ્યૂ બળ મહાન છે . તુલસીદાસ દોહાવલી રામાયણમાં કહે છે  સાધુને અભિમાન ન હોય .રામ નો પ્રેમ કેવી રીતે વધે તે વિનયપત્રિકા માં છે .તમારામા સારી વાતો આવી હોય તેને યાદ કરો તો રામ પ્રેમ વધારશે .આપ કહો વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને કહે છે આપ કહો તો જનકપુર જાવ અથવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યાં જવું હોય તો જઈએ. વિશ્વામિત્રે જ્યાં સુધી યોગ્ય અનુષ્ઠાન પૂરું થાય ત્યાં સુધી રથમાં નહીં બેસુ એમ કહ્યું રામ લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિ સાથે પદયાત્રા શરૂ કરે છે. કદાચ સમાજમાં સુખ શાંતિ માટે આ પહેલી પદયાત્રા હશે. રસ્તામાં અહલ્યા મળે છે રામે વિશ્વામિત્ર ને પૂછ્યું આ કોણ છે .ત્યારે વિશ્વામિત્ર તેની કથા કહે છે ગૌતમ નારી છે અને શાપ ગ્રસ્ત છે પાપ નથી પણ સાપ છે આપના ચરણની રજ ચાહે છે .ધૂળ નહીં પણ કરુણા .એની મુખમુદ્રા શરીર મુદ્રા હતી .પાદુકા શું છે એ પ્રત્યક્ષ છે રામ ની પ્રતીક્ષા છે અત્યારે એવું લખાય છે કે તપ નો ઢગલો ઉભો થયો એ માણસ થઈ ગઈ એમ નથી આપણાથી ભૂલો થાય પણ તેમાંથી બોધપાઠ લેતા નથી ની જેમ  તે બોધપાઠ લે છે.
બાપુએ અયોધ્યાની માનસ  ગણિકા કથાનો ઉલ્લેખ કર્યો જેની ગણના ન થાય તે ગણિકા. પણ મારે તેની ગણના કરવી છે તુલસી  વાસંતી નામની ગણિકા પાસે રામ ભજન ગાયેલું.
અહલ્યાને એકલી છોડી ગાયો, ઋષિકુમારો, ગૌતમ બધા ભાગી ગયા .જે ભાગે તે પરમ તત્વને ન પામી શકે. રામ વિચારક પણ છે ઉદ્ધારક અને સ્વીકારક પણ છે. અહીંયા શિલામાંથી વ્યક્તિ બને છે. ત્યારે તેને થાય છે કે પતિ ગૌતમ પાસે જવું કે જગત પતિ પાસે જવું ,અને તે પોતાના પતિ ગૌતમ પાસે જવાનો નિર્ણય કરે છે, આજે ભારતીય નારીની સાંસ્કૃતિક પરંપરા.
વિશ્વામિત્ર કહે છે, તમે રઘુ પતિ તો છો જ .અહલ્યા નો ઉદ્ધાર કર્યો તેથી પતિત પાવન છો.હવે સીતારામ બનો અને આમ ધુન બની રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ.  ગંગા અવતરણ કથા પછી કથા એ વિરામ લીધો.
----આજનું  અલગ કથામૃત----
-કથામાં પત્રકારો અનિલ માઢક,કેતન મહેતા, મનોજ જોષી, પરેશ ચૌહાણ, તખુભાઈ સાંડસુર ,મુકેશ પંડિત ,મુસ્તાક વસોયા, રાજેશ વશિષ્ઠ વગેરેને પોથીવંદના કરવાની તક સાંપડી.
----આજની કથામા યજમાન હરિભાઈએ બે જેટલા ફિલ્મી ગીતો નું રસપાન પણ શ્રોતાઓને કરાવ્યું.
----આજના અતિથિઓ તરીકે મંત્રી આર. સી. ફળદુ પ્રવિણ તોગડીયા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા જય વસાવડા,ભરત ડાંગર, મોના નંદજી બાપુ અંજાર અંજારના  વી કે હૂબંલ, વગેરે મુખ્ય હતા
----પ્રાધ્યાપક ડૉ .દિનુભાઈ ચુડાસમા સર્જિત પાંચ પુસ્તકો જેનો પ્રથમ અક્ષર તલગાજરડા સાથે જોડાયેલો છે તેવા તલગાજરડી આંખ. તલગાજરડા પ્રેમયજ્ઞ વગેરે નું લોકાર્પણ કરવામાં આવ્યું.
---ભાવનગરથી આંખે પાટા બાંધીને બાઇક ચલાવીને તલગાજરડા પહોંચેલા જીતુ ત્રિવેદીનું વ્યાસપીઠ પરથી અભિવાદન કરવામાં આવ્યું.
----તખુભાઈ સાંડસુર-- વેળાવદર

No comments:

Post a Comment