Monday, November 5, 2018

માનસ ત્રિભુવન દિવસ છઠ્ઠો તારીખ 1 -11- 18

 સામાજિક સેવા નુ દાયિત્વ સમાજ અને સરકારનુ છે સાધુનું નહીં :પૂજ્ય મોરારીબાપુ
સ્મૃતિલબ્ધા ગ્રથંવિમોચન અને મૌલાના સર્ફરાજ ની છઠ્ઠા દિવસે હાજરી
ત્રિભુવન નો અર્થ કરતા આજે પૂજ્ય મોરારીબાપુ જણાવ્યું કે શિવ ત્રિભુવન ગુરુ છે. વિષ્ણુ પતિ છે. બ્રહ્મા ત્રિભુવન સર્જક છે. સત્ય ,પ્રેમ અને કરુણા ત્રિભુવન છે .સત્ય ઊંચું હોય .જેનામાં સત્ય હોય એ હમેશા બીજાથી ઊંચો હોય. પ્રેમ તત્વ પૃથ્વી પર જ છે. કુરબાની અને કરુણા પાતાળ જેટલી ઉંડી છે. તલનો અથૅ પાતાળ ,ગાજર નો અર્થ પૃથ્વી , ડા નો અથૅ પકડી રાખવુ એટલે ત્રિભુવન.
તલ એટલે પ્રેમ, ગાજર એટલે કરુણા, ડા એટલે સત્ય .પણ તમે લેજો તેને વિશાળતાઅથૅમા. જગતમાં સાત પ્રકારની સંસદ છે . બ્રહ્મ સંસદ, સાધુ સંસદ ,લોકસભા, રાજ્યસભા ,યુનો,જનસંસદ અને છેલ્લી  એટલે તલગાજરડાની.શ્રોતા નચિકેતા જેવો હોય જ્ઞાન ન મળે ત્યાં સુધી પ્રતીક્ષા કરે.વકતા યમ જેવો  હોય. નચિકેતાને અગ્નિ પરીક્ષા આપે પણ તે સરળ અને નિરાભિમાની હોય.
 કથાનો દોર સંભાળતા બાપુએ વાણીપ્રવાહને આગળ વધાર્યો ,પાર્વતીજીને લગ્ન પછી શંકર રામની કથા સંભળાવે છે .શંકરે પાર્વતીજીને વામ ભાગે બેસાટયા કારણ કે હ્રદયનો સાદર સ્વીકાર પછી  તેઓ શિવ સન્મુખ બેઠા છે.કથા સન્મુખ થઇ સંભળાય. કથાનો આરંભ ધન્યતાથી થાય .મધ્ય અને અંત પણ ધન્યતા હોય .જ્ઞાન ના ચાર પ્રકાર છે. વિપરીત જ્ઞાન ભ્રાત જ્ઞાન ,આરોપિત જ્ઞાન અને વિવેકહીન  જ્ઞાન .  વિપરીત એટલે વિરુદ્ધનું અને ભ્રાન્તએટલે ભ્રાંતિ, આરોપણ વાળુ અને વિવેક વગરનુ રામ જન્મ ના પાંચ હેતુઓ છે પ્રથમ જય વિજય ,બીજુ જલંધર ,ત્રીજું નારદનો શ્રાપ, ચોથું મનુશત્રુપાનુ તપ અને પાંચમું રાજા પ્રતાપભાનુ મળેલો બ્રહ્મજ્ઞાનનો શાપ.
પાંચ જગ્યાએ ખોટું બોલી શકાય. વિનોદમા,વિવાહમાં ,વેપારમાં પ્રાણ સંકટમાં હોય તો અને ગાય બ્રાહ્મણ ના રક્ષણ માટે. પરંતુ તલગાજરડા માને છે કે ખોટું એ તો ખોટું જ છે. શબ્દના સ્વયંસેવકો બેઈમાન બને  તો કોણ સાંભળે ?સત્ય પ્રેમ અને કરુણા એ ત્રિભુવન છે .ગ્રંથ મહાન હોય છે. કોઇપણ સ્થળે અને સમયે આશ્રિતને એકલો ન છોડે તે બુદ્ધ પુરુષ .મોટા માણસ સુતા રહે તો ગડબડ થાય ,તેણે જાગવું જોઈએ. સત્યના ઉચ્ચાર અને સ્વીકારથી સત્યસ્થ થવાય.
રામાયણમાં રામ અવતાર પહેલા રાવણ જન્મની કથા છે .પહેલી નિશાચર બીજી રઘુવંશ અવતાર ધારણ કરવાનું વચન પાપાચારનો નાશ કરવા માટે. રઘુકુળ દશરથ જી ના ઘરે વશિષ્ટના કહેવાથી યજ્ઞ કરવાનું વચન અને તેના પ્રસાદથી માતા કૌશલ્યાના કૂખે ભગવાન રામે જન્મ ધારણ કર્યો. રામનુ અવતરણ થયું.
------આજનું કથા વિશેષ-------------
--આજના મહેમાન મોલાના સરફરાજ નકવીએ કહ્યું "ખુદા ,ભગવાને માણસ ને એટલા માટે બનાવ્યો છે કે સૌ હળી મળીને રહે .તલગાજરડા પ્રેમને વેહેચે છે. માટે લોકો દુનિયાના ખૂણે થી પ્રેમ મેળવવા આવે છે. ભગવાનને ગુરુ માંથી ગુરુના ચરણ પકડો તે જ મુકામ સુધી લઈ જશે .હિંદુ-મુસ્લિમ સૌ અહીં પ્રેમ પામવા આવે છે. જવાનોની માતાઓને સો સો સલામ.
--80000 શ્રોતા-ભક્તો એ કથા પ્રસાદનો લાભ લીધો.
- પુ.બાપુ સ્વયંસેવકોને પણ મળ્યા અને તેની સેવા ને સાધુ વાદ આપ્યા.
---આજના મહેમાન હતા. કથાકાર જીગ્નેશ દાદા, મંત્રી શ્રી વાસણભાઈ આહિર, ગોવિંદભાઈ ધોળકિયા, સાયલાના મહંત દુર્ગા દાસ બાપુ ,સાંસદ પૂનમબેન માડમ અને ભાવનાબેન મકવાણા વગેરે.
---રકતદાનની સરવાણી નો આંકડો આજે 111 બોટલ સુધી પહોંચી ગયો--- તખુભાઈ સાંડસુર -વેળાવદર

No comments:

Post a Comment