Thursday, December 6, 2018

મંદિર નારો ૨૦૧૯

અયોધ્યા મંદિર : ઓગણીશનો VAI..!

--- તખુભાઈ સાંડસુર
અયોધ્યાનો મુદ્દો કેટલાયને રળી ખાવાનું નાનું ખેતર છે. આ ખેતરને જોકે શેઢો નથી એટલે જ્યારે જેવું નાનું મોટુ કરવું હોય તેવું થાય.   !!!? મુદ્દો મંદિર નિર્માણ કે બાબરી મસ્જીદને હટાવવાનો નથી. આ દેશના મતદારોની બાલીશતા, મુર્ખતા માટે હસવું ય ભારે થઈ પડે તેવું છે. અનેક ચૂંટણીના માંડવાઓ જોયા પછી લાગે કે આપણી પરીપરક્વતા ક્યાં સુધી દિવો બળે એટલે દુર રહેશે!!. અદાલતી ચુકાદાઓ અને નેતાઓની ચાઈનીઝ ચટાકેદાર બયાનબાજી કેટલાક નવરાઓ માટે વાતો કરવાનો કે લાંબુ કરવાના સારા વિષયો ગણાય. પરંતુ આ આભનો છેડો હોય ખરો ?

સને ર૦૦રથી હિન્દુ મતોને ઉશ્કેરીને મતપેટીમાં લઈ જવાની એક ખૂબ યોજનાબધ્ધ ચાલ ગોઠવવામાં આવી રહી છે. બાબરી મસ્જીદનો ઢાંચો પડી ગયા પછી જે સામાજિક સમરસતાને ઘા પડ્યો, તે હંમેશા વણપુરાયેલો રહ્યો છે.


જ્યાં તેની પર થોડી ઘણી રુઝ આવે ત્યાં અનેક પેતરાઓથી તેને ખતરોડીને પરુ-પસથી ભરેલું મોટુ ધારૂ બનાવી દેવામાં આવે છે. તાજેતરમાં આવો જ પ્રયત્ન સાવ નકામો દેખાઈ રહ્યો છે.
ભાજપ, આરએસએસ કે તેની વિવિધ પાંખો પણ જાણતી નહોતી કે ભારતના લગભગ ૪૦ ટકા ભાગમાં હિસ્સો નહીં ધરાવનાર પક્ષ સંપૂર્ણ બહુમતીથી દેશમાં સત્તા પર આવી જાય પ૪૩ લોકસભામાંથી બહુમતીના મેજીકલ અને મીરેકલ બેઠકના આંકડા સુધી પહોંચી જવાશે.આ  મે-ર૦૧૪માં થયું. ઠાગાઠૈયા કરૂ છું ને ચાંચુડી ઘડાઉ છું કહેતાકને કાબરબાઈ એવી પ્રજા પાસે ઓગણીશમાં પહોંચી જવાયું છે હવે શું ? ભાજપની ઈલેક્શન મેનેજમેન્ટ ટીમે ફરી અયોધ્યા પર આંગળી મુકી. અયોધ્યા મંદિર એટલે વોટ એક્શમેન્ટ ઈસ્યુ VAI .મતલબ કે મતને જ્યારે રોકડા કરવા હોય ત્યારે અહીં પહોંચી જવાનું એટલે પત્યું.

તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓના ઓપીનીયન પોલ સત્તાધારી પક્ષ ભાજપની બકરી ઢબે પુરી દિધી છે. કેટલાક સર્વે કશમકશનો આંકડો દર્શાવતા હતા તો કોઈ તો લગભગ રાતા પાણીએ ભાજપને રોવાનું દર્શાવતા હતા. દેશભરમાં એક નકારાત્મક હવા ધીમે ધીમે શરૂ થઈ રહી છે કે તમે રૂલ માટે લાયક ઓછા રોફમાં વધુ પાવરઘા છો. ભાજપ અને મોદી હવે ઝાંખા થઈ રહ્યાં છે. તમે જ્યારે હવા મહેલો ચણી દો અને એક ઝુપડુ પણ ઉભુ ન થાય તો શું થાય ? બીજુ આર્થિક બેહાલીએ સામાન્ય માણસની કમરના મણકા કચડી નાખ્યા છે જે રીતે ટેક્ષને ઈમ્પલીમેન્ટ કરવામાં આવ્યો અને સરકારની તિજોરી છલોછલ કરવાના મનસુબા પાર પાડવા નાના અને લઘુ ઉદ્યોગોને કરમાળખામાં સમ્મિલિત કરીને રોજગારીના રોટલાઓ આંચકી લેવાયા. કેટલાયની થાળીઓ ખડખડ ભાણા બની ગઈ છે. બીજી તરફ આર્થિક નીતિઓના પરિણામોને નજર અંદાજ કરીને સબસીડાઈઝ ચીજોનું ખુલ્લુ બજાર કરવું. વ્યાજદરોને ઘટાડીને બચતના નાણાનો પ્રવાહ અન્ય રસ્તે ફટાવો દેવો .જેવી બાબતોએ ક્યાંક પ્રત્યક્ષ તો કવચિત પરોક્ષ રીતે સામાન્ય મધ્યમ વર્ગીય ભારતીયમાં એક અજંપાનો માહોલ ક્રિએટ કર્યો છે. તેને ટેઈક ઓવર કરી શકાય તેમ નથી. દિલ્હીના બારાખંભા રોડ પર ભાજપા મુખ્યાલયમાં બેસતા માસ્ટરોનું બી.પી. ઓછુ વત્તુ થવા લાગ્યું છે. ગુપ્તચર સંસ્થાઓ અને પુંજીપતિઓની ચેનલોએ રેડ સિગ્નલ બતાવી સૌને નવેસરથી તાળા ગોઠવવા મજબુર કર્યા છે.

આ તાલમેલનો પહેલો અંક અયોધ્યામાં રપ નવેમ્બરે ભજવવામાં આવ્યો. તેનુ નામ આપવામાં આવ્યું હતું, "ધમૅસભા".જેમાં શિવસેનાને વરમાળા પહેરાવીને ઝુલુસમાં આગળ કરવામાં આવી છે. ભાજપ-શિવસેનાનું એક સિક્રેટ અંડરસ્ટેન્ડીંગ હોવાનું દેખાયું કે તમે આગળ વધો. ધર્મસભાથી રામમંદિર નારો ગજવો.અમારે સોફટ ઈસ્લામીક વોટબેંકને ટકાવી રાખવી છે, તેથી અમે ખુલ્લામાં મોઢાનો પડદો ઉંચકી શકીએ તેમ નથી. તમને આંતર માળખાગત ,આર્થિક ,મેન પાવર સપોર્ટ અમે આપશું .જેથી સાપ મરે નહી અને લાઠી ભાંગે નહી. ઉદ્ધવે ફરી હુંકાર કરી મુદ્દાને ચૂંટણી ચોગાનમાં રંગદોળી દિધો. સૌએ એક શ્વાસ લીધો કે તેમા કોઈ કેઝ્‌યુલીટી નથી થઈ .કોંગ્રેસ ઘણા વર્ષો સુધી ધર્મ -જ્ઞાતિના નામે આળપંપાળ કરી નવા વાતાવરણને રચવામાં ઓછુ નહોતુ કર્યુ .પણ ત્યારે તેનાથી સામાજિક પ્રદુષણ આટલા મોટા પ્રમાણમાં જોવા નહોતુ મળ્યુ. એ જ રસ્તો અત્યારે સત્તાધારી ભાજપ અપનાવી રહ્યો છે.

લોકશાહીની પરિભાષા ત્યારે બળુકી પુરવાર થાય કે તેનો સામાન્ય માણસ પણ સમાનતાનો અનુભવ તથા સલામતીનું મહા કવચ માણી શકતો હોય. જ્યારે તમે કોઈ મહોલ્લામાં કે ગામમાં અલ્પ સંખ્યક છો તો તમે કેવો અનુભવ કરો છો ? રાતની મેધલી કાળી ચાદર તમારા એકાંતને કેટલુ પજવી નાંખે છે ,ત્યારે તમારા હાર્ટ બીટ કેટલા વધી જાય છે. તેનો કોઈ માપકયંત્ર વગર તમે અહેસાસ કરી શકતા હોવ છો. બસ આવી જ એક કલ્પના તમે એવા સાંપ્રદાયિક સમુહમાં લઈ જાવ.આવી અકળામણનું અસુખ માત્ર પરમતત્વ પાસે ખોળો પાથરે છે.

સત્તાના સિહાસનની સાહેબી જેને ભોગવવી હોય તે છોને ભોગવે પણ તે મેળવવા કોઈકને માઈક્રો યાતનાનું વજુદ કેટલુ ? ભારતના ધર્મ જાતિ, પ્રદેશમાં વૈવિધ્ય પૂર્ણ વર્ગોમાં વિભાત્જીત લગભગ ૮૦ ટકાથી વધુ લોકોને રાજનીતી સાથે બહુ ઓછી નિસ્બત છે. તે અમન, આબાદી અને ઐશ્વર્યથી પોતાના જીવનને વ્યતિત કરવા ઈચ્છે છે. આવી શાંતિના પુલુક (સરોવર)માં કાંકરી ફેકનારા અક્ષમ્ય લોકશાહી પાલકો છે. સુજ્ઞજનોની સંખ્યા કોઈ મેજીકલ ફીગરમાં નથી તેથી તેનો લાભ આપણા રાજનીતીજ્ઞો ઉઠાવી રહ્યા છે. સામાજિક સમરસતા, સાંપ્રદાયિક સદભાવ રાષ્ટ્રીય વૈવિધ્યનું એકીકરણ વગેરે જેવા મુદ્દાઓનો ગંભીરતાથી વિચાર કરવાથી સતત પ્રાથમિકતાનો અનુભવ થયા કરે છે.

છેલ્લે

બધારણીય ફરજો આચાર સંહિતા વગેરેનાં પાલન માટે વિશેષ ઠરાવો ,કાયદાઓનું ગઠન રાષ્ટ્રીય અંખડિતતા માટે ઓકસિજન બની શકશે.




No comments:

Post a Comment