Wednesday, October 21, 2020

એટ ધ રેટ નવરાત્રી:સ્ત્રી શાલીનતા અને રોદ્રતાની પ્રતિકૃતિ

 એટ ધ રેટ નવરાત્રી:સ્ત્રી શાલીનતા અને રોદ્રતાની પ્રતિકૃતિ

તખુભાઈ સાંડસુર

 દેવી ભાગવતમાં શારદીય નવરાત્રીના મહત્વની છડી પોકારી વાત કરતાં જણાવે છે કે દુર્ગાના નવ રુપો છે અને તેનું સરનામું એટલે નવરાત્રી. શાલિનતા અને રોદ્રની ફોટો કોપી અલગ-અલગ રૂપોમાં દર્શિત થાય છે. નવ રૂપો અનુક્રમે શૈલપુત્રી- પહાડોની દીકરી, બ્રહ્મચારિણી- બ્રહ્મનું તેજ, ચંદ્રઘંટા- ચંદ્ર જેવી શીતળતા, કુષ્માંડા- જગત આખું જેના પગ તળે  રાખી શકે છે.સ્કન્ધમાતા- કાર્તિક સ્વામીનું માતૃત્વ, કાત્યાયની -એટલે કાત્યાયન આશ્રમમાં અવતરણ પામનાર,કાલરાત્રી- કાળ જેનું કશું બગાડી ન શકે પણ તેનો પણ નાશ કરવાવાળી. મહાગૌરી- શ્ર્વેત રંગોમાં શોભિત માં, સિદ્ધિદાત્રી -જેનાથી સીધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

       માનવ હૃદય કોમળતાનું પ્રતિબિંબ છે. માં શબ્દમાં આતૅનાદ સમાયેલો છે. જ્યારે આતૅનાદ થાય તો તેનો પ્રત્યુત્તર કરુણાંમાં જ હોય. કવિ મુન્નવર રાણા એટલે તો માં માટે કહે છે કે

  "ચલતી ફીરતી હુઈ આંખો સે અર્જા દેખી હૈ, મૈને જન્નતકો નહીં દેખી હૈ માં દેખી હૈ."

મમત્વને લોક થયેલું અહીં જ અનુભવાય છે.

    પરંતુ એ જ માં ને પૂરતુ સન્માન કે મહત્વ ન આપીને, તેને સેકન્ડ કેડરનો દરજ્જો ભારતીય સભ્યતાએ આપ્યો છે. કારણ કે પુરુષત્વની  તાકાત હાવી થતી જોવા મળી છે, એટલું જ નહીં તેને ભોગના સાધન તરીકે જ્યારે એક 'ટોય' તરીકે ઉપયોગમાં લેવામાં આવી છે ત્યારે તે લાચાર,અપાહિઝ દેખાતી રહી છે. પુરુષ આધિપત્ય અને સ્ત્રીનું બીન ઉત્પાદક કાર્ય કે જે વ્યવસ્થાના ભાગરૂપે હતું તે જવાબદારી અને ફરજમાં કન્વર્ટ કરી દઈ લાદી દેવામાં આવ્યું છે.  તે માટે આ કારણ પણ જવાબદાર છે. વિતજા તાકાત જેનામાં ઉણી દેખાય તે હંમેશા અસહાય ભાસે છે.ગૃહીણી અથૅ મેનેજમેન્ટ કરે છે સોંપાયું છે, પણ તે તેનો માલીકી ભાવ અનુભવતી નથી. અસહાયતાનુ એક રુક્ષ પ્રકરણ અર્થ સંપન્નતા છે. જ્યાં જ્યાં આર્થિક તાકાત પ્રભાવી થાય છે ત્યાં ઘમંડ, અહંકાર ચીચીયારીઓ કરવાં લાગે છે. તેનું આત્યંતિક લોકેશન ત્રાસદી વ પીડા આપવા તત્પર હોય છે. 

    નવદુર્ગાના રૂપ રોદ્ર પણ છે. કાલરાત્રિ કે કુષ્માંડાને આ ખાનામાં મુકી. શકાય. જ્યારે પણ માતૃત્વનો માંહ્યલો જાગી જાય છે ત્યારે તેને શાંત કરવો ખુબ અઘરું બની જતું હોય છે. ભવાનીના એ સ્વરૂપને પણ આપણે જોયું છે. એટલે પોતાના પિતા દક્ષ સામે બંડ પોકારવામાં તે જરાય મોડું કરતા નથી. પોતાનું અથવા પોતાપણાનું અવમાન અસહ્ય બની રહે છે.  આપણે જોઈ શકીએ છીએ કે પછી આ રૂપને શીતળતા આપવા કે ઠારવા કોઈ છંટકાવ કારગત થતો નથી.મહાસમર્થ યોગીઓ પણ કાચા સાબિત થઈ શકે છે. ભગવાન શંકરની ત્યાં મૌન લાચારીને આપણે એવી રીતે જોઈ શકીએ છીએ. જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ખડગ ઉપાડવાની તૈયારી માતૃસ્વરૂપાએ કાલસ્વરૂપા બની ને પેશ થવું જોઈએ. વેદ, ઉપનિષદ, પુરાણ આ બધી જ બાબતોની સાક્ષી બનીને સાથ આપે છે.

  " હે.. માં આપદ્ ધર્મ આચરવામાં તું હંમેશ પડખે રહેજે "એજ પ્રાર્થના નવ શક્તિઓનો કરવાનો ઉપાસનાનો અર્ક છે.

       


No comments:

Post a Comment