Sunday, March 10, 2019

Modi lekh

પીએમની પ્રવચન કલા :પ્રતિસ્પર્ધી પણ પાણી પાણી
 --- તખુભાઈ સાંડસુર
     ભારતીય રાજનીતિમાં નરેન્દ્ર મોદીના આગમન થી 'બોલે તેના બોર વેચાય' તે કહેવતની યથાર્થતા સાબિત થઈ. સતત મોદી સામે મોરચો ખોલવાની તક વિપક્ષોએ લેવા કોશિશ તો કરી પણ નિશાન ક્યારેય 'બુલ 'પર લાગ્યું નથી સને 2002, 2007, 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં અજેય રહેવું .નાની વાત ન હતી .અરે.. ત્યાર પછી તેનો 2014માં હાઈજમ્પ નવી દિલ્હીના તખ્ત સુધી દોરી ગયો .તેના કારણોનું 'ડિસેક્શન' કરવાનું કહેવામાં આવે તો તેના અનેક કારણોમાં એક કારણ છે મોદીજીની ભાષણ કળા ભાષણ શ્રોતાઓ ના  મનો જગતથી છાતીના મયુરોની યશકલગી બનવાનું સૌભાગ્ય સાંપડે છે. વ્યક્તિના વૈચારીક ભૂમિકાનો આબેહૂબ પરિચય તથા સપનાઓની પવનપાવડી માં ઉડી, ઉડીડા ને સૌ કોઈને નવી પરિકલ્પનાઓ આપી શકાય છે રાજનીતિનો એકકો ગણવામાં તેમનું પ્રવચન સતત હાથવગું  બનતું રહ્યું છે અને રહેશે.
         મોદીજી જ્યારે બોલવાનું શરૂ કરે ત્યારે તેનું સંબોધન લગભગ ટૂંકું હોય વધુ નામો લેવાનું ટાળે છે.જેથી કોઈ વિવાદ ન થાય પણ જ્યારે જરૂર હોય ત્યારે એક  એક ને વીણીને શોધી કાઢે દેશ તેવો વેશ મુજબ જ્યારે કોઇ ચૂંટણી સભા હોય તો તેમાંથી ત્યાંની સ્થાનિક નેતાગીરીને 'ફોકસ કરવામાં આવે. એવા માણસોનો ઉલ્લેખ કરી નાખે જ્યાંરે તે માણસ કાર્યકર્તા તરીકે ઓછું કાર્ય કરતો હોય અથવા ઘણું વધારે કરતો હોય જેથી તે દોડતો થાય કે તેના કાર્યમાં ગતિ આવે .સાધુ કે ધર્મગુરુને પૂરતું મહત્ત્વ આપે જેથી શ્રોતાઓ પર વધુ પ્રભાવક બની શકાય.
          પોતાની વાણીથી એક કેવો પ્રભાવ ઊભો થઈ ગયા પછી સમીયાણો લગભગ 'હિપ્નોટાઈઝ' થઈ જાય છે .ત્યારે પોતાના વિચારો કે નિર્ણયોના સમર્થન માટે શ્રોતાઓને પ્રતિભાવ માંગીને તેના અભિપ્રાય કે વિચારનું વજન છે. તેવી આભાસી જાદુઈ લાકડી ફેરવી દેવામાં આવે છે. સંબોધનમાં ભાઈઓ-બહેનો અથવા સાથીઓ તેવા શબ્દો વારંવાર ગુલદસ્તો થઈને જ ઉડતા રહે છે. તેથી શ્રોતાઓવચ્ચે સેતુબંધ રચાય છે. સભામા તમામ માણસો મોદીમા પોતાપણું અનુભવે છે .તેમના અવાજમાં એક મજબૂત લય છે તે કુદરતી દેન છે. તેથી તેમની વાત કઠિનતા, મજબૂતથી ઊતરતી અનુભવાઇ છે.
           
       ભાષણ ની મુખ્ય ખાસિયતો એવો હોય છે કે તે લગભગ બે હિસ્સામાં વહેચાયેલું હોય .પેલો ભાગ પોતાની સરકારની ઉપલબ્ધિઓ નું વિગતે વર્ણન કરવામાં આવે છે. જેમાં આંકડાઓ સહિતની વિગત આપવામાં આવે છે. શબ્દોની ગોઠવણ કવિતાનાશબ્દ પ્રાસ સરખી હોય છે .જેમકે અંબાજીથી ઉમરગામ સુધીના પ્રદેશ, નિયત અને નીતિ સાફ, ન દુઃખના હૈ ન ઝૂકના હૈ ,ભાષણ નો બીજો ભાગ એટ્રેક્ટિવ ને એટેકનો હોય છે. જેમાં વિપક્ષના સવાલોના જવાબો તેના આક્ષેપો નુ ખંડન અને તેની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નાર્થોની વણજાર બધું એટલું ઝડપે અને જુસ્સાથી રજૂ થાય છે કે કોઈ સચિન તેંડુલકર જેવો બેટ્સમેન્ જાણે એક ઓવરમાં છ યે છગ્ગા ફટકારતો હોય . આખું સ્ટેડિયમ તાળીઓથી ખીચોખીચ  છલકાઈ જાય ભાષણોનો અંતિમ તબક્કો, આત્મીયતાનો હોય છે જેમાં તે પ્રદેશ ,શહેર ,જ્ઞાતિ ,સમૂહ વગેરે સાથે પોતાની જાતને જોડવામાં આવે છે .હું અહીં આવતો હતો, મારે આ પ્રદેશ સાથે અમુક પ્રકારના સંબંધો છે .મારો દરવાજા સૌ માટે ખુલ્લા હોય છે .તમારા સૌ માટે હું લડી રહ્યો છું રાજ દિવસ જોયા વગર પરિશ્રમ કરું છું .વગેરે વગેરે વિધાનો શ્રોતાઓ સાથે આત્મીયતા .આ બધી જ બાબતો નો પ્રભાવ સતત સર્જાતો રહે છે
                         મોદીજી પોતાના ભાષણ પછી અભિવાદન ઝીલી ને ચાલતી પકડે છે .જેથી તેના પછીના કોઈ વક્તાઓ અન્ય કોઈ રીતે પોતે બોલેલા શબ્દો નો જવાબ ના આપે કે કોઈ વ્યંગ ન કરે. તેની તક આપવામાં આવતી નથી હિન્દી ,ગુજરાતીમાં પ્રભાવ પાથરતીન વાણીમાં આંકડો માહિતી યોજનાઓનું ઊંડાણ દેખાય છે .લાંબા સમય સુધી એટલે કે કવચિત કલાક ,સવા કલાક સુધી પણ પ્રચંડ પ્રવાહી રીતે બોલી શકે છે, તેની વિગતો માહિતી નુ ક્યાંય પુનરાવર્તન થતું નથી ભાષણના આકર્ષક અઅંશોમા સભામાંથી 'મોદી-મોદી'ના નારા ઓ ક્યાક મેનેજ કરેલા તો ક્યાંક સ્વયંભૂ પ્રગટ થતા રહે છે .જે તેને સાંભળનારા ઉપર જબરી આચ્છાદિત છાપ છોડી જાય છે .પ્રવચન પછી વિપક્ષો પણ એક-બે દિવસ સુધી તેનો ઉચિત જવાબ આપી શકવા સમર્થ  હોતા નથી
                      સને 2014માં લગભગ ઉત્તર ભારતના હિન્દીભાષી બેલ્ટમાં ભાજપની આંશિક હાજરી જ હતી.400 જેટલી રેલીઓ સભાઓ એ જલ્દી ઢગલાબંધ મતોથી જોળી છલકાઈ ગઈ. એક પોલીસ અધિકારીએ જ્યારે તેઓ તે સમયે તેમની સાથે રહેતા હતા .તેણે કહેલું કે રાજસ્થાન ,મધ્યપ્રદેશ વગેરે વિસ્તારમાં મે પગપાળા દસ-પંદર કિલોમીટર ચાલીને મોદીજી ની સભા માં આવતો મતદાતા જોયો છે .તેથી ભાજપ સત્તા પર આવે તેમાં જરાય સદેહ નથી. રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ કર્યા પછી મોદીજી માં એક પાકટતા સતત ઉમેરાતી રહી છે પ્રારંભિક તબક્કામાં તેમના પ્રધાનમંત્રી પદના પ્રવચનમાં ઓચિત્ય ભંગની વાત દેખાતી પણ પછીથી ખૂબ સંયમપૂર્વક દરેક વાતને રજૂ કરીને કોઈપણ વ્યક્તિગત શાબ્દિક પ્રહાર કરતા નથી .વિવાદો વ્યુહાત્મક બાબતોથી તેઓ સતત કિનારો કરતા રહ્યા છે. સભાસ્થળે કવચિત જ અન્ય સાથે વાત કરે છે હાસ્ય રસ ,શોયૅરસ વગેરેનું સતત સંયોજન થતું રહે છે.
     તમામ મોરચે મોદીજી એક આત્મવિશ્વાસથી તરબતર પ્રખર વક્તા તરીકે ઉપસતા હોય છે. તેથી વિપક્ષ રક્ષણાત્મક મુદ્રામાં સતત દેખાય છે તે મોદીજીનો પ્લસ પોઈન્ટ જ ગણવો રહ્યો.

No comments:

Post a Comment