Sunday, May 19, 2019

Election results 2019

૨૩ મે:--એમ.પી. ટ્રેડિંગ ડે...!!!???

-- તખુભાઈ સાંડસુર

લોકસભા ચૂંટણીના પરિણામો બે ક્ષેત્રોને ઘણું કામ આપી રહ્યા છે."મામાનું ઘર કેટલે "ના અડસટ્ટા લગાવવા અખબારો, મીડિયા જગત ને ગલીપચી કરાવવાની મજા પડી ગઈ છે. સટોડિયાઓ પોતાના આંકડાઓની ભરમારથી સૌને એવા કઠોડે ચઢાવે છે કે વાત જવા દો .2014ની 16મી લોકસભા એનડીએના સાથી પક્ષો સહિતના ની બેઠકોની સંખ્યા 350થી વધુ હતી. માત્ર ભાજપ માટે આ મેજિકલ ફિગર 282નો હતો. જે સૌના ભવા ખેચવા નિમિત હતો.હવે અડસટ્ટા કે એનાલિસિસ માં ન પડીએ તો પણ એટલું પાકકુ છે કે 2014ની અને આ વખતની સ્થિતિ જરા બદલાયેલી તો છે જ. એટલે કે ભાજપાને આ આંકડાઓ જાળવી રાખવા માત્ર એક જ મુદ્દો હાવી દેખાઈ રહ્યો છે, તે છે સર્જીકલ સ્ટ્રાઈક, આતંકવાદીઓનો ખાત્મો.
   
         2014 અને 2019 માં એક સ્પષ્ટ ભેદ છે કે મોદીની ઈમેજ બિલ્ડીંગ ત્યારે દીપ-પ્રાગટ્ય હતું.મોદી માં અનેક લોકોએ નવા ભારતના, યુવા બેરોજગારના તારણહાર,  પડકારો અને સમસ્યાઓના સંહારક તરીકેના સ્વપ્નાઓ કંડાર્યા હતા.એટલે અણધાર્યો આત્મવિશ્વાસ જનતામાં ઉભો થયેલો દેખાયો હતો. 2019માં તેના સાથી પક્ષો તેલુગુ દેશમ 16 બેઠક, બીજુ જનતા દળ 20 બેઠક, તને એઆઈડીએમકે ૩૭ બેઠક પૈકીના મોટા આંકડાધારી પક્ષો આજે મોદીપક્ષમા નથી.કોંગ્રેસનો વાવટો 40- 45 સુધીમાં સંકેલાઈ ગયો હતો.આજે તેની પાસે ત્રણ રાજ્યોને સ્વતંત્ર સરકાર છે. કર્ણાટકમાં જેડીએસના ટેકાથી ચાલતી સરકાર છે.તેથી ત્યાં કોંગી પક્ષ પોતાનો દેખાવ કંગાળ કરે એવું લાગતું નથી.એમની પાસે હિન્દી બેલ્ટમાં યુપી-બિહારમાં વિરોધીઓ એકઠા થઈને ખાંડા ખખડાવે છે, એટલે ત્યા મત નુ ડિવિઝન આ વખતે શક્ય નથી. તેનો લાભ ભાજપને મળી શકે તેમ નથી. હવે જો લોકમિજાજ
બદલાયેલો હશે તો પરિણામો મોદી પ્રોજેક્ટેડ દેખાશે. તો તે 2014થી પણ આગળ નીકળી જાય એમ પણ બને.પરંતુ તમામ દિશાના પવનો મોદી ઈફકટેડ નથી પણ ડિફેક્ટેડ જરૂર છે. ત્યારે શું થશે.., તેવો સવાલ આમ આદમી માં ચકરાવા લઇ રહ્યો છે. મારા બુજર્ગ મિત્ર બાલાભાઈ કહે છે એ "ભાગ્યમાં હોય તો ભરાય નહિતર તો ધબોય નમઃ"

  જો ભાજપના સાથીઓ ઓ 225 -230 ના આંકડાથી આગળ ન નીકળે તો હંગ પાર્લામેન્ટ સર્જાય. તો શું થાય ......!??? પ્રાદેશિક તમામ પક્ષો એક એવા મુકામ પર છે કે મોદીનો તે કોઈ કાળે સપોર્ટ કરી શકે તેમ નથી,કારણ કે તેના વિરોધમાં જનાદેશ લઈને દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. હવે જો તે લોકેચ્છાને અવગણે તો પોતાનો જનાધાર ખોઈ દેવો પડે. જેથી તેને પોતાના રાજ્યની જાગીરી મેળવવામાં ય નાહી નાખવું પડે. માટે તે કોઈ પણ સંજોગોમાં મોદી સાથે જશે નહિ .તો શું થાય...!!? બીજુ જનતા દળ અને તેલંગણા માં ટી આર એસ માટે ભાજપામા સોફટલાઈન દેખાઈ રહી છે. તેથી તેની થોડી બેઠકો આવે ને તેનો ટેકો મળવાની સંભાવના છે .પછી ઘટતા સંસદસભ્યો મેળવવા દરેક રાજ્ય વીનેબીલીટી ધરાવતા એમપી નો સંપર્ક કરવામાં આવી રહ્યો હશે. છે.જેથી વિપક્ષના ૩૩ ટકા સભ્યોને અલગ કરી સ્પલિટ પાર્ટી તરીકે ભાજપ ટેકો મેળવી શકે.અથવા તે સાંસદોને એનકેન પ્રકારે લોકસભામાં બહુમતી મેળવતા સમયે ગેરહાજર રાખી શકાય. ભાજપા તેની આ રીતે લોકસભાના ફ્લોર પર બહુમતી પુરવાર કરવા પ્રયત્ન કરશે.
      ત્રિશંકુ સ્થિતિ ખાસ કરીને સાંસદો માટે ધર્મસંકટ સર્જી શકે છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ ભારતીય રાજનીતિ એ સારી રીતે જોઈ છે.તેનું પુનરાવર્તન કરશે કે કેમ તે તો સમય બતાવે .નાના પક્ષો એ તેના સાંસદોને અકબંધ રાખવા ખુબ મથામણ કરવી પડશે તેના શિરોધાર્ય નેતાઓ અત્યારથી કેટલીક સૌને "મોપાટ "'લેવડાવી રહ્યા છે .આવવા દો 23 મે ને જોઈએ શું થાય છે?

 ---------:::તખુભાઈ સાંડસુર

No comments:

Post a Comment